SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાક્રમ ] ૯૯ ~ ~~~ ~~ ~ ~~ જીવ અને અજીવ બંનેના સ્વરૂપથી અજાણ છે, તે સંયમનું સ્વરૂપ પણ જાણી શકતા નથી, કારણ કે સંયમપાલનને જીવદયા સાથે ગાઢ સંબંધ છે. जो जीवे वि वियाणेइ, अजीवे वि वियाणइ । जीवाऽजीवे वियाणंतो, सो हु नाहीइ संजमं ॥ ३ ॥ [ દશ૦ અ૦ ૪, ગા. ૧૩ ] જે જીવને સારી રીતે જાણે છે, તે અજીવને પણ સારી રીતે જાણે છે. આ રીતે જીવ અને અજીવ બંનેને સારી રીતે જાણનારે સંયમને જાણે છે. जया जीवमजीवे य, दो वि एए वियाणइ । तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ॥ ४ ॥ [ દશ૦ અ ૪, ગા. ૧૪] જ્યારે સાધક જીવ અને અજીવ બંનેને સારી રીતે જાણે છે, ત્યારે તે સર્વ જીવેની બહુવિધ ગતિને જાણે છે. વિ. અહીં ગતિ શબ્દથી એક ભવમાંથી બીજા ભવમાં જવાની ક્રિયા સમજવાની છે. આ ગતિ એક પ્રકારની નથી, પણ બહુ પ્રકારની છે, એટલે કે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર પ્રકારની છે; સંસારી જીવને આ ચાર ગતિમાંથી એક ગતિમાં અવશ્ય ઉત્પન્ન થવું પડે છે, કારણ કે તેણે એ પ્રકારનું કર્મ બાંધેલું હોય છે અને તેનું ફળ ભેગવ્યા સિવાય તેને છૂટકે થતું નથી.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy