SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ~~ ~~~ [ શ્રી વીર-વચનામૃત અને શ્વાસે રવાસ એ ચાર પર્યાપ્તિના અધિકારી છે. બેઈદિયથી અસંજ્ઞી પંચિંદિય સુધીના જીવે પાંચમી ભાષા પર્યાપ્તિના પણ અધિકારી છે અને સંસી પચિદિય જીવે છયે પર્યાતિના અધિકારી છે. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ઈન્દ્રિયના ધોરણે સંસારી જીના વિભાગ પાડીએ તે પાંચ વિભાગ પડે છેઃ (૧) એગિદિય, (૨) બેઇદિય, (૩) તેઈદિય, () ચઉરિદિય અને (૫) પંચિંદિય. તેમાં એગિદિય જીવને એક સ્પર્શનેન્દ્રિય હોય છે. સ્પર્શનેન્દ્રિય એટલે સ્પર્શ પારખનારી ઇન્દ્રિયતેનું મુખ્ય સાધન ચામડી છે. બેઈદિય જીવને સ્પર્શનેન્દ્રિય ઉપરાંત રસનેન્દ્રિય પણ હોય છે. રસનેન્દ્રિય એટલે રસ-સ્વાદ પારખનારી ઇન્દ્રિય. તેનું મુખ્ય સાધન જીભ છે. તેઇદિય જીવને આ બે ઈન્દ્રિયે ઉપરાંત ત્રીજી ધ્રાણેન્દ્રિય પણ હોય છે. ધ્રાણેન્દ્રિય એટલે વાસ પારખનારી ઈન્દ્રિય, તેનું મુખ્ય સાધન નાસિકા છે. ચઉરિંદિય જીવને આ ત્રણ ઈન્દ્રિયો ઉપરાંત ચોથી ચક્ષુરિન્દ્રિય પણ હોય છે. ચક્ષુરિન્દ્રિય એટલે વસ્તુઓને જેનારી ઈન્દ્રિય. તેનું મુખ્ય સાધન ચક્ષુ-આંખ છે. અને પચિંદિય જીવને આ ચાર ઈન્દ્રિયો ઉપરાંત પાંચમી શ્રોતેન્દ્રિય પણ હોય છે. શ્રોતેન્દ્રિય એટલે સાંભળનારી ઈન્દ્રિય. તેનું મુખ્ય સાધન શ્રોત એટલે કાન છે. આમાંથી એગિદિય છે ચાર પર્યાપ્તિના અધિકારી છે, એટલે તેઓ પહેલી ચાર પર્યાપ્તિ પૂરી કરે ત્યારે પર્યાપ્ત
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy