SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર–વચનામૃત ૧૪ છે, પણ તેનાથી અલગ જોવામાં આવતા નથી. પર્યાય એટલે અવસ્થાવિશેષ. તે દ્રવ્ય અને ગુણુ અંનેના આધારે જ ડાય છે; પર`તુ એકલા દ્રવ્યથી કે એકલા ગુણથી હાતી નથી. દાખલા તરીકે ઘટા એ પુદંગલના પર્યાય છે, તેા તેમાં પુદ્ગલ દ્રવ્ય પણ છે અને તેના સ્પ, રસ, વણુ, ગંધ વગેરે ગુણેા પણ છે. આને સારાંશ એ છે કે વિશ્વની વ્યવસ્થા કરનાર જે છ દ્રચૈાની ગણના ઉપર કરવામાં આવી છે, તે ચે દ્રવ્યેા ગુણ અને પર્યાયી યુક્ત હાય છે. તે કદી પણ ગુણરહિત કે પર્યાયરહિત હોત! નથી. શ્રી ઉમાસ્વાતિ વાચકે તત્ત્વાર્થાધિગમસૂત્રના પાંચમા અધ્યાયમાં શુળવોચવચમ્ ॥૩૮॥ એ સૂત્રથી આ વસ્તુ સ્પષ્ટ કરી છે. અહીં સમજવાનુ એટલુ* છે કે ગુણ એ સદ્દભાવ છે, એટલે સદા સાથે રહેનાર છે અને પર્યાય એ ક્રમભાવી છે, એટલે એક પર્યાયના નાશ થયા પછી નવા સ્વરૂપે ઉત્પન્ન થનાર છે. ભગવાન મહાવીરે દ્રવ્યનું લક્ષણુ સત્ માન્યું છે અને તેને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યવાળુ જણાવ્યું છે, તેનું રહસ્ય પણ આ જ છે. કાઈ પણ દ્રવ્યમાં નવા પર્યાયની ઉત્પત્તિ ત્યારે જ થાય છે કે જ્યારે તેના જુના પર્યાયના વ્યય થાય—નાશ થાય. આ બંને ક્રિયાએ સાથે જ થાય છે, એટલે કે જીના પર્યાય નાશ પામતા જાય છે અને નવા પર્યાય ઉત્પન્ન થતા જાય છે. મનુષ્ય ખાળકમાંથી યુવાન અને છે, ત્યારે બાળકપણું મટવાની ક્રિયા અને યુવાનપણું આવવાની ક્રિયા ભિન્ન ભિન્ન સમયે થતી નથી, પણ સાથે જ થાય છે. આ રીતે જીના પર્યાયના નાશ અને નવા પર્યાયની ઉત્પત્તિ
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy