SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વત ંત્ર ] કહેવાય. આવા દશ કાટાકાટી (૧૦૦૦૦૦૦૦૦ X ૧૦૦૦૦૦૦૦૦) પક્ષ્ચાપમ વર્ષ ભેગા થાય તેને સાગરે પમ કહેવાય. આવા વીસ કટાકાટી સાગરે પમનું એક કાલચક્ર અને. અને એવા અસખ્યાત કાલચક્રનું એક પુદ્ગલપરાવત મને. જીવ ઉપયાગ લક્ષણવાળા છે, એના અર્થ એ છે કે તે કોઈ પણ વસ્તુને સામાન્ય કે વિશેષપણે જાણવા માટે ચેતના-વ્યાપાર કરી શકે છે. વસ્તુને સામાન્યપણે જાણવી એ દન કહેવાય છે અને વિશેષપણે જાણવી એ જ્ઞાન ૧૧ કહેવાય છે. જીવને શી રીતે જાણવા ? એના ઉત્તરમાં અહીં એમ કહેવામાં આવ્યું છે કે જ્યાં જ્ઞાન હાય, દન હાય, તેમજ સુખ-દુઃખને અનુભવ હોય, ત્યાં જીવ છે એમ જાણવુ. આપણામાં જ્ઞાન-દર્શન અને સુખ-દુઃખના અનુભવ છે, માટે આપણામાં જીવ છે. ગાય, ભેંસ આદિ પશુગ્મામાં, કાગડા, કબૂતર આદિ પક્ષીએ માં, તથા જંતુએ અને કીડામાં પણ કંઈક જાણવાની શિત તથા સુખ-દુઃખનું સવેદન છે, માટે તેમાં પશુ જીવ છે; અને લીલી વનસ્પતિમાં પણ કંઇક જાણવાની શક્તિ તથા સુખ-દુઃખનું સવેદન છે, એટલે તેમાં પણુ જીવ છે. આ રીતે જ્યાં જ્યાં જ્ઞાન, દર્શન કે સુખ-દુઃખને અનુભવ જોવામાં આવે, ત્યાં ત્યાં જીવ છે, એમ જાણવુ. તેથી વિપરીત જેમાં જાણવાની શક્તિ નથી કે સુખ-દુઃખનું સંવેદન નથી, ત્યાં જીવ નથી એમ જાણવુ. દાખલા તરીકે લેાઢાના, કાચના કે પત્થરના ટુકડા, તેમાં જાણવાની શિત નથી કે સુખ-દુઃખનું કેાઈ સ`વેદન નથી, માટે તે અજીવ છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy