SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સકસિદ્ધિ પ્રથમ તા તમે એ દ્વિવ્ય શક્તિમાન પરમ પિતાના પુત્ર છે, એ વાત ભૂલી ન જાએ. ઈશ્વરે કે પરમેશ્વરે પેાતાની દિવ્ય શક્તિના જે અશ તમારામાં મૂકેલા છે, તેને વિકાસ કરવા, એ તમારા હાથની વાત છે. જે પુત્ર પિતાના આપેલા અમૂલ્ય વારસા વેડફી નાખે છે, તે મૂખ કે નાલાયક ગણાય છે, એ ભૂલશે। નિહ. તાત્પર્ય કે તમે પણ એક રીતે ધણી જ છો અને એ ધણીપણું કરતાં આવડે તે આ જગતમાં ધાર્યું કામ કરી શકે તેમ છો. જો તમારી ધારણા અનુસાર કામ થતુ ન હેાય તેા સમજજો કે તેમાં તમારી કાઈક પણ સ્થળે ભૂલ થઈ રહી છે. પરંતુ તેના દોષ ઈશ્વરને માથે નાખશે નહિ, કારણ કે એ તે પરમ દયાળુ છે અને પરમ ન્યાયી પણ છે. તે તમારા શુભ પ્રયત્નને તેાડી કેમ પાડે ? અથવા તા તેનુ ખરાબ ફળ કેમ આપે ? ફલપ્રાપ્તિની ખામતમાં ઈશ્વર કે પરમેશ્વર કદી પણ દખલગીરી કરતા નથી. જે જેવું કામ કરે છે, તેને સ્વાભાવિક રીતે જ તેવું ફૂલ મલે છે. એટલે કોઇ સારા કામની ઇચ્છા કરવી અને તે માટે પૂરતા પ્રયત્નો કરવા, એ આપણુ કવ્યું છે. ૮૪ આપણા તત્ત્વજ્ઞાએ કારણ અને કા` (Cause and Effect) ના નિયમ સ્થાપિત કરેલા છે અને વિજ્ઞાને તેનુ સમર્થાંન કરેલું છે. તેમાં કોઈ વાર કશું પરિવર્તન થતુ નથી. જો આ કારણ અને કા ના નિયમ તૂટી જાય તે આ વિશ્વમાં વ્યવસ્થા જેવું કંઇ રહે જ નહિ. પછી તે પાણી રેડીએ તેમાંથી દાહ પ્રકટે અને અગ્નિ પ્રકટાવીએ તેમાંથી શીતલતા પ્રાપ્ત થાય. અથવા તે ગમે તેટલા પ્રયત્ન કરીએ તે પણ
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy