SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ४० સકસિદ્ધિ પડે છે અને કોઈ મોટા રોગના ભાંગ થઈ પડે છે, અથવા તેની પત્ની કે બાળકો એક પછી એક બિમાર પડવા માંડે છે અને તેના છેડા જ આવતા નથી. એમાં કમેાતનાં મેત પણ થાય છે અને બીજી પણ દુર્ઘટના બનતાં તેના સારા ચે સંસાર દુ:ખમય બની જાય છે. ઉપરાંત લેાકેાનો ફીટકાર મળે છે અને તેના પ્રત્યે ઘણા વરસતી જ રહે છે, એ જૂદી ! વળી લક્ષ્મી તા ચંચલ છે, એટલે તેને કયારે પગ આવે અને ચાલતી થાય તે કહેવાય નહિ. ખાસ કરીને આવા મનુષ્યાની લમી એક યા બીજા બહાને ઘેાડા વખતમાં ચાલી જાય છે અને ત્યારે એમના શોક-સતાપના પાર રહેતા નથી. તાત્પર્ય કે અશુભ સંકલ્પથી કોઈ ઊંચું આવતુ નથી, કોઈ ઉન્નતિ સાધી શકતુ નથી, એ ખાખતમાં આપણે દૃઢ વિશ્વાસ રાખવા જોઈ એ. અમુકે અશુભ સ'કલ્પ કર્યો, તેને ધનમાલ મળ્યાં અને તે સુખી થઈ ગયા, એમ માનવું–મનાવવું ભૂલભરેલુ છે. વાસ્તવમાં તે એક જાતના ભ્રમ છે અને તે આપણને શુભ સંકલ્પના માર્ગથી ચલાયમાન કરે છે, માટે તેનાથી સાવધ રહેવુ જોઈ એ. મનુષ્ય જ્યારથી શુભ સંકલ્પ કરે છે અને તે પ્રમાણે વવા માંડે છે, ત્યારથી તેની ઉન્નતિના આરંભ થાય છે અને તે દ્દિન-પ્રતિદિન વધતી જ રહે છે. અલબત્ત, તેમાં અંતરાયા આવે છે કે વિઘ્ન નડે છે, પશુ તેને ધૈય રાખી કુનેહથી ઓળગવા જોઈ એ. પછી તેની ઉન્નતિની કોઈ રૂકાવટ કરી શકતુ નથી. અર્થાત્ તે મનધારી સ્થિતિએ પહેાંચી જાય છે અને પેાતાનુ જીવન આનંદમાં પસાર કરે છે. ko ";
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy