SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલ્પસિદ્ધિ મહિષના આ શબ્દોએ રતનિયાના હૃદય પર ભારે અસર કરી. તેણે એ જ વખતે સંકલ્પ કર્યાં કે ‘ આજથી હું સર્વ પાપી કામેાને ત્યાગ કરીશ, એક તપસ્વી તરીકેનું જીવન ગુજારીશ અને એવુ ઘાર તપ કરીશ કે મારાં તમામ પાપાના નાશ થાય.’ ૩૦ ખસ, તે જ ક્ષણથી તેના જીવનનું પરિવર્તન થયુ. તે લૂટારા મટી તપસ્વી અન્યા અને તેણે જંગલમાં એક સારું સ્થાન જોઈ આસન જમાવ્યું તથા પોતાની ચિત્તવૃત્તિઓને પરમાત્માના ધ્યાનમાં જોડી દીધી. તે એમાં એવા તલ્લીન બની ગયા કે ખાવા—પીવાનું ભૂલી ગયા અને સારસંભાળ પણ રહી નહિ. સમય જતાં જંગલની ઉધેઈઓએ તેના શરીર ફરતા રાકડા-વમીક બનાવ્યે અને તેમાં તે દટાઈ ગયા. અન્ય તપસ્વીઓએ તેની આ સ્થિતિ જોઈ તેનુ નામ વાલ્મીકિ પાડ્યું અને તેને એ વલ્ભીકમાંથી બહાર કાઢયે . ત્યારથી તેની મહિષ વાલ્મીકિ તરીકે પ્રસિદ્ધિ થઈ. આ વખતે તપ, જપ અને ધ્યાનના પ્રભાવે મહિષ વાલ્મીકિનાં પૂર્વીકૃત પાપો નાશ પામ્યાં હતાં અને તેમનું અંતર અનેરા આત્મજ્ઞાનથી એપી ઉઠયું હતું. વિશેષમાં પ્રાણી માત્ર માટે તેમના અંતરમાં કરુણાના ભાવ છલકાવા લાગ્યા હતા. એક દિવસ તે નજીકના સરેવરમાં સ્નાન કરીને પેાતાની પણ કુટિ તરફ પાછા આવી રહ્યા હતા, એ વખતે એક પાધિએ આનંદક્રીડા કરી રહેલા કોચ પક્ષીના જોડકા 1 ઉપર બાણ ચલાવ્યું અને તેથી કૌંચનર ઘાયલ થઇને જમીન
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy