SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ સકસિદ્ધિ મૃત્યુભયના વિચારથી એક કેદીના કાળા વાળ રાતારાત સફેદ બની ગયાની નાંધ થયેલી છે. ઘણા માણસને ચહેરા ભયથી સફેદ પુણી જેવા થઈ જાય છે પીળા પડી જાય છે, એ કોણ નથી જાણતું ? અથવા તે ૧૯૬ વળી એવું પણ જોવામાં આવ્યું છે કે નિરાશા અને ચિંતાથી આંતરડાંના રાગા થાય છે, ધનનાશના સતાપ નિલતા, ક્ષય તથા મૂત્ર સબંધી રોગો પેદા કરે છે અને દરિદ્રતાના દુઃખમય વિચારોથી અજીર્ણ અને મંદાગ્નિ ઉત્પન્ન થાય છે. એ વાત પણ ખ્યાલમાં રાખો કે ત્વચાના ધર્માં પર લાગણીની અસર થાય છે અને અત્યંત માનસિક પરિશ્રમ કરવાથી ચામડી ફાટી જાય છે. તે જ રીતે જો મનેાવૃત્તિમાં વિલક્ષણ ફેરફારો થાય તેા ત્રણ, નાસુર, ફેફરૂં (અપસ્માર–વાઇ) અને ઉન્માદ ( ગાંડપણ) ઉત્પન્ન થાય છે. તથા કામવૃત્તિને વેગ અત્યંત વધી જાય અને મનુષ્ય અતિ સ્રીસંગ કરવા લાગે તેા તેની પ્રાણવાહિની નાડીઓ નબળી પડી જતાં તેને લકવા લાગુ પડે છે. : ૉ. એમારગેટ્સે ઘણા પ્રયાગા પછી જાહેર કર્યુ છે કે ભય, ચિંતા, ક્રાધ, ઈર્ષ્યા, દ્વેષ અને ઉદાસીનતાથી પરસેવામાં, થૂંકમાં, શ્વાસમાં તથા રક્તમાં વિષ ઉત્પન્ન થાય છે અને પ્રેમ, દયા, સ ંતેષ, આન, પ્રસન્નતા તથા આરગ્યના વિચારોથી નીરોગી અને બળવાન બનાવનારાં તત્ત્વ પેદા થાય છે.' એટલે જે મનુષ્યે સદા નીરોગી રહેવું હાય
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy