SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ નિરોગીપણુ ૧૮૫ રહે તે જ ધન, સંપત્તિ, અધિકાર યશ કામના છે, અન્યથા તેની પાછળ દોડવાના કોઈ અર્થ નથી. 6 મહાત્મા ગાંધીજીએ કહ્યુ છે કે ઈશ્વરીય નિયમે પાળવાથી જ શરીર નીરોગી રહી શકે છે, શૈતાનીય નિયમે પાળવાથી નહિ. જ્યાં સાચુ આરેાગ્ય છે, ત્યાં જ સાચું સુખ છે.’ ’ ઇશ્વરીય નિયમે એટલે પ્રાકૃતિક નિયમ (Natural laws). તે આપણે ખરાખર પાળીએ તે આપણુ શરીર નીરોગી રહી શકે છે. પરંતુ આપણે તે નિયમેા પાળવાની દરકાર કરીએ છીએ ખરા ? આપણા મનમાં મોટા ભાગે સેતાન સવાર થાય છે અને તે જેમ ચલાવે તેમ ચાલીએ છીએ. પછી નીરોગી અવસ્થાની આશા શી રીતે રાખી શકીએ ? 6 ૫. શિવદત્તજી શર્મા કહે છે કે · રોગ અને નિલતા પ્રાય: પ્રકૃતિના નિયમાનું ઉલ્લંઘન કરવાથી આવે છે. પ્રકૃતિના નિયમે। અનુસાર ચાલવાથી નથી તેા કોઈ રાગ થતા કે નથી કોઇ પ્રકારની નિ`લતા આવતી. બલ્કે આરેાગ્ય, અળ, બુદ્ધિ અને આયુની નિરંતર વૃદ્ધિ થતી રહે છે. તેને વૃદ્ધાવસ્થાનું કષ્ટ પણ થતુ નથી. અથવા તો એમ કહેવુ જોઈએ કે તેને વૃદ્ધાવસ્થા આવતી જ નથી.’ પ્રકૃતિના નિયમ કઠિન નથી, એ તદૃન સીધાસાદા છે, પણ તે આપણે ખરાખર સમજી લેવા જોઇએ અને તેને ચીવટથી અનુસરવુ જોઈ એ, તેને સારાંશ અહીં આપવામાં પાવે છે.
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy