SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિરીક્ષણ ૧૬૭ કે નહિ ? અહીં એ સ્પષ્ટતા પણ કરીઈએ કે આવે વિચાર માત્ર પેાતાની ધધાદારી પ્રવૃત્તિ અંગે જ નહિ, પણ જે સામાજિક–રાષ્ટ્રીય સંસ્થાની જવાબદારીએ પેાતે સ્વીકારેલી હાય, તે અંગે પણ કરવા ઘટે છે. જો એ સંસ્થાઓ માટે આપણે કંઇ પણ સમય આપી શકતા ન હેાઇએ કે જોઇએ તે કરતાં ઘણા અલ્પ સમય આપી શકતા હેાઇએ, તે એ આખતમાં સત્વર સુધારો કરી લેવા ઘટે છે અને એ માટે જે સમય આપી શકાય તેવી સ્થિતિ જ ન હોય તેા આપણે ખીજા કામગરા સારા લેાકેાને માટે તે સ્થાન ખાલી કરી આપવુ જોઇએ. જો આપણા આંગણામાં થોડાં ફૂલછેડ વાવીએ અને પછી તેને પાણી જ ન પાઇએ તેા તેની સ્થિતિ કેવી થાય ? ધંધાદારી, સામાજિક તથા રાષ્ટ્રીય સસ્થાઓની જવાબદારી અંગે પણ આ જ પરિસ્થિતિ સમજવી. શાંત-સ્વસ્થ મને તથા તટસ્થ ભાવે આ પ્રકારનુ આત્મનિરીક્ષણ કરતાં સાચી પરિસ્થિતિનું ચિત્ર સ્પષ્ટ થાય છે અને જે ભૂલે આપણી દૃષ્ટિ મહાર કે ખ્યાલ બહાર રહી ગઈ હેાય છે, તે તરી આવે છે અને તે સુધારી લેવાનુ ખળ પણ પ્રાપ્ત થાય છે. ખરી હકીકત તા એ છે કે જો આપણે આ રીતે રાજ એકાદ કલાક શાંત-સ્વસ્થ ચિત્તે બેસવાના તથા આત્મનિરીક્ષણ અંગે ચિંતન-મનન કરવાના મહાવરા પાડીએ તે આપણી આંતરિક શક્તિ જાગ્રત થાય છે અને તે આપણી ઝંખેલી વસ્તુનુ અદ્ભુત આકષ ણ કરે છે, એટલે કે તે
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy