SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમિતતા ૧૩૯ લેઓને કેટલી હાલાકી વેઠવી પડે છે, તે આપણું કેઈથી અજાણ્યું નથી. આ બધા પરથી મનુષ્ય નિયમિતતાને બેધપાઠ કેમ ન લે ? ચારિત્રનું ચણતર નિયમિતતા વિના થતું નથી અને એ ચણતરના અભાવે કદી પણ આગળ વધી શકાતું નથી. શ્રી હરિભાઉ ઉપાધ્યાયે એક સ્થળે કહ્યું છે કે “જે મનુષ્યો પિતાના માટે નિયમો ઘડતા નથી, તેમને માટે બીજાને નિયમો ઘડવા પડે છે. તાત્પર્ય કે મનુષ્ય પિતાનું ચારિત્ર નિર્માણ કરવા માટે કેટલાક નિયમો અવશ્ય ઘડવા જોઈએ અને તેનું ચીવટાઈથી પાલન કરવું જોઈએ. નહિ તો લાગતાવળગતાને તેમના પર નિયમનું બંધન લાદવું પડે છે અને એ સ્થિતિ આનંદજનક નથી જ. જે માણસ નિયમિત કામ કરે છે, તે દોટું કામ કરી શકે છે અને કઈ પણ કામને ઝડપી ઉકેલ લાવી શકે છે; જ્યારે અનિયમિતપણે કામ કરનાર ધાર્યા કરતાં બહુ ઓછું કામ કરી શકે છે અને નહિ ધારેલા ગુંચવાડાઓને નેતરે છે. જે રેજના કામને જ નિકાલ થતો હોય તો મને પર ભાર રહેતો નથીએટલે કે તે કામ પ્રસન્નતાપૂર્વક થાય છે, જ્યારે અનિયમિતપણને લીધે વધારે પડતું કામ ભેગું કરી નાખ્યું હોય તે મન પર તેને બે જે રહે છે અને તેનો નિકાલ કરતાં કંટાળો આવે છે, એટલે તેમાં ભૂલે થવાને કે છબરડા વળવાને સંભવ વધારે રહે છે. જવાબ
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy