SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ યુગવીર આચાર્ય જૈન મહાસભા પંજાબ'ની તરફથી એક સુવર્ણચંદ્રક આપવામાં આવે અને તેને જે કાંઈ ખર્ચ થશે તે હું આપીશ.” હોશિયારપુરનિવાસી લાલા ગેરામલના સુપુત્ર લાલ અમરનાથે તરત જ ઊભા થઈને ગુરુમહારાજને પ્રાર્થના કરી. આ ભાવનાને સભાએ હર્ષનાદથી વધાવી અને ચંદ્રક તૈયાર કરાવી એમને ભાવનગર મોકલાવી આપે. પ્રાન્ત ચરિત્રનાયકે ઉપસંહાર કરતાં કહ્યું “હવે મારે બહેનોને બે શબ્દ કહેવાના રહે છે. પંજાબની બહેને તે બહાદુર છે. ગુરુભક્તિ તેમનામાં ખૂબખૂબ દેખાય છે, છતાં સાદાઈ પણ આવશ્યક છે. પ્રથમ તે આપ હાથનું ઘરેણું રત્નચોક હવેથી નવું ન બનાવરા--હું તે એમ પણ કહ્યું કે પહેલાનાં બનાવેલાં પણ ન પહેરે. એક તો હાથે કામ કરવાથી રોકાય છે અને ચાર બદમાસને તે લેવામાં પરિશ્રમ નથી પડતો. આવું ઘરેણું પહેરવાને કશો અર્થ નથી. બીજું કપડા પર દસ તોલાથી અધિક ગોટા ન લગડાવવા. સલમે સિતારા તે છોડી દેવા જોઈએ. આજને દિવસ યાદ રહે. આપણી––મારી-–તમારી જવાબદારી આજથી વધે છે. તેને પૂરી રીતે સફળ કરવા ગુરુમહારાજ હમેશાને માટે આપણા સ્મૃતિપટ પર રહે અને તેમના મંગળ આશીર્વાદ મળતા રહે ૩ શાંતિ : શાંતિઃ શાંતિઃ છેલે સ્વાગત સમિતિ તરફથી મહેમાને, દૂરદૂરથી
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy