SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ યુગવીર આચાર્ય જૈનશાસનની અને જૈનજગતની આજની દશા પર એ વયોવૃદ્ધ જ્યારે અશુપાત કરે છે ત્યારે તે ખરેખર હૃદય દ્રવી જાય છે. આજે એ બૂઝર્ગ વયેવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ શ્રદ્ધેય સાધુ શિરેમણિને આત્મા સ્વર્ગે બિરાજે છે પણ તેમનાં વચને ને વાકયે આજે પણ સત્ય–શાંતિ–ક્ષમા–સમતાશાસનઉન્નતિ-સમાજકલ્યાણ અને પટ્ટધરની જવાબદારી શીખવી રહ્યાં છે. અમર રહો એ આત્મા, વંદન છે એ મુનિ પુંગવને. “ગુરુદેવ! ગઈકાલે રાત્રે મંડપમાં એક મોટી સભા થઈ હતી. રેશની બહુજ મનહર હતી. હજારો લોકોની મેદની જામી હતી. જેનેતરે અને અન્ય ભાઈ-બહેનની મિટી સંખ્યા હતી. પંજાબી ભાઈઓનો ઉત્સાહ તે ભારે અજબ ! હું તે ત્રણ દિવસથી જોઈ રહ્યો છું, પંજાબની ગુરુભકિત અદ્વિતીય છે” શેઠ મોતીલાલ મુળજીએ વંદણા કરતાં પંજાબી ભાઈઓની ગુરુભકિતને ચિતાર આગે. “મેતીલાલભાઈ! તમારી વાત સાચી છે. ગૂજરાતમાં જ ગુરુભકિત છે તેમ ન માનશે. કદાચ ગૂજરાતમાં અતિ પરિચયથી સાચી ભકિત ઓછી થતી જોવાય છે. પંજાબ શ્રીસંઘનું સંગઠન બહુજ સુંદર છે.” આચાર્યશ્રીએ સ્પષ્ટતા કરી.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy