SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૩ યુગવીર આચાર્ય આવી જતા તે તે વખતે ન બને તે તે દિવસના દૈવસિક પ્રતિક્રમણમાં સુલેહ-સંપ થઈ જતા અથવા કરાવી દેવામાં આવતા, તેમ છતાં કાઈના દિલમાં કાંઈ કસર રહી ગયેલી જણાતી તે પાક્ષિક પ્રતિક્રમણમાં તેની ક્ષમા કરાવવામાં આવતી હતી. અંતમાં સાંવત્સરિક પ્રતિક્રમણમાં તે આપ સ્વયં ક્ષમાપના કરતા અને બીજા પાસે કદાચ અજ્ઞાનવશ કાઈ તે પર ધ્યાન ન આપતા તે તેને કલ્પસૂત્રને પાઠ અવશ્ય કરાવતા, 66 जो उवसमइ तस्स अस्थि आराहणा । जो न उवसमई तस्स नत्थि आराहणा । तम्हा अप्पणा चेव उवसमियव्वं ॥ "" બતાવીને સમજાવતા કેઃ થાય ભા—બાપુ ! શ્રી તીર્થંકર મહારાજે તથા શ્રી ગણધર મહારાજે શું કહ્યું છે. જે જીવ ક્ષમાપના કરે છે. તે આરાધક છે. અને જે નથી કરતા. તે આરાધક નથી થતા, તેથી ક્ષમાપના કરીને આરાધક થવું યેાગ્ય છે. આવા પ્રેમનાં વચને સાંભળીને કાઈ પણ શાંત થઈ ને ક્ષમાપના કરી લેતેા હતેા, તે તમે પણ જાણી છે. તમે સ્વર્ગવાસી ગુરુ મહારાજના ચરણામાં રહી—ગુરુકુલવાસમાં ખૂબ અનુભવ સંપાદન કર્યાં છે. તમને સમજાવવાની કાંઈ જરૂર નથી. તથાપિ જ્યારે તમે તે મહાપુરુષેાના સ્થાનાપન્ન—તેમના પટ્ટધર બન્યા છે, તે આપે તેમનું અનુકરણ કરવું યાગ્ય છે. શ્રી ગુરુમહારાજ આપતે સહાયતા આપે અને આપ એવાં એવાં કાર્યો કરવાને યાગ્ય અને, જેનાથી શ્રી ગુરુમહારાજ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાન ંદસૂરીશ્વરજી મહારાજનું શુભ નામ જગતમાં અધિકથી અધિક રાશન થાય. આપની સાથેના ધર્મ સ્નેહ સબંધને લીધે અને આપને સુયેાગ્ય સમજીને આટલી સૂચના શુદ્ધ અંતઃકરણપૂર્વક લખી છે. આશા છે 66
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy