SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૭ ગેડવાડમાં પ્રચારકાર્ય લલિતવિજયજીના ઉપદેશથી થયું હતું. વરકાણાથી રાણી, ચચેરી, વગેરે થઈ ખાંડ પધાર્યા. અહીં આપના ઉપદેશથી પાઠશાળા સ્થાપન કરવામાં આવી. ખાંડથી ગુદોજ પધાર્યા. અહીં પણ આપના ઉપદેશથી પાઠશાળા સ્થાપિત થઈ. કુલ્લાગામ વિહારના રસ્તાથી દૂર હતું. ત્યાં જવાની ઈચ્છા નહોતી પણ કુલ્લાના એક શ્રાવકે એક દિવસ આવીને મહારાજશ્રી પાસે ઉપવાસનું પચ્ચખાણ લીધું અને પછી કહ્યું આપ જ્યાંસુધી અમારા ગામમાં પધારવાની વિનતિને સ્વીકાર નહિ કરે ત્યાં સુધી હું પારણું નહિ કરું.” “ભલા માણસ! આમ કરવાની શું જરૂર હતી. તમે એમ ને એમ વિનતિ કરી હતી તે પણ હું આવત.” સાહેબઅમારું ગામ રસ્તાથી દૂર. ગુરુદેવના દર્શન અમને થાય જ નહિ. અમારે ગામ પધારે પણ કેણ. આજ આપ દયાનિધિ પધાર્યા છે તો અમને આપને લાભ કેમ ન મળે? માફ કરશે. હું તે આપને ચરણસેવક છું.” પેલા ભાઈ એ ક્ષમા માગી. મહારાજશ્રી કુલ્લા ગયા અને ત્યાં એક સાધમી વાત્સલ્ય પણ થયું. કુલ્લાથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા પાલી પધાર્યા. પાલીમાં સમારોહની સાથે નગરપ્રવેશ થયા. પૂજા– પ્રભાવના–નોકારશી થયાં. એક પાઠશાળા પણ સ્થાપિત કરી.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy