SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ --------- -- ----- --- -- ગિરનારયાત્રા અને જ્ઞાનની પરબ વેરાવળમાં પહોંચતાં જ માળનું મુહૂર્ત હતું. મહેસવને પ્રારંભ થઈ ગયો. સમવસરણ તથા નંદીશ્વરદ્વીપની રચના થઈ. રથયાત્રા બહુ ઠાઠમાઠથી નીકળી. ઉપધાનની માળા પહેરવાના સમયે સાચા મેતીને સાથીએ પુરવામાં આવ્યા. મહોરોથી જ્ઞાનપૂજા કરવામાં આવી. મહારાજશ્રીના ઉપદેશથી વેરાવલમાં, શ્રી આત્માનંદ જૈન સ્ત્રી શિક્ષણશાળા તેમજ શ્રી આત્માનંદ જૈન ઔષધાલય” નામની બે સંસ્થાઓ સં. ૧૯૭૩ના મહા સુદી ૧૦ ના દિવસે સ્થાપિત થઈ સ્ત્રી-શિક્ષણશાળા માટે સ્વ. શેઠ કાલીદાસ અમરશીની વિધવાએ રૂ. ૧૦૦૦૦) તથા વેરાવળની શ્રાવિકાઓએ રૂ. ૪૦૦૦) આપ્યા. ઔષધાલયને માટે મહારાજશ્રીની પ્રેરણાથી શેઠ કલ્યાણજી ખુશાલે પિતાના સ્વર્ગવાસી પુત્ર ગુલાબચંદના સ્મરણાર્થે રૂ. ૩૦૦૦૦) ત્રીસ હજાર આપ્યા આ ઔષધાલય માત્ર જેને માટે જ નહિ પરંતુ જેનેતર પણ તેને લાભ ઉઠાવી શકે છે. કૃપાનિધિ ! આપ માંગરોળ પધારે તે ભારે ઉપકાર થાય તેમ છે.” માંગરોળના આગેવાન શેઠ છોટાલાલ પ્રેમજી આદિએ ગુરુદેવના ચરણમાં વંદણ કરી પ્રાર્થના કરી. પ્રેમજીભાઈ! અહીં ઔષધાલય અને સ્ત્રી-શિક્ષણશાળાની શરૂઆત થાય તેમ હતું તેથી જ વિલંબ થયે, નહિ તે હું કયારને માંગરોળ તરફ વિહાર કરવાને હતે.” આપણું ચરિત્રનાયકે પિતાને ઈરાદે જણાવ્યું. પણ સાહેબ! માંગરોળમાં પ્લેગને ઉપદ્રવ શરૂ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy