SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ યુગવીર આચાય શ્રી શીતલનાથ પ્રભુની પ્રતિષ્ઠાના વાર્ષિક ઉત્સવદિન હતા. દાનવીર શેઠ દેવકરણ મુળજીની વિનતિથી મહારાજશ્રી વણથલી પધાર્યા. આપના સભાપતિત્વમાં ઉત્સવ થયે. વિદ્યાપ્રચાર ઉપર મહારાજશ્રીએ વ્યાખ્યાન આપ્યું. તેના ફળસ્વરૂપ શ્રી દેવકરણ મુળજીએ ‘ શ્રી વીસાશ્રીમાળી જૈન બેટિંગ જૂનાગઢ ’ને રૂા. ૫૦૦૦૦) આપ્યા, એટલું જ નRsિ પણ તેમણે જણાવ્યુ કે જો સૌરાષ્ટ્રના જૈન ભાઈએ આ બેટિંગ માટે રૂા. ૨૫૦૦૦) એકઠા કરે તેા પે।તે બીન્દ રૂા. ૫૦૦૦૦) આપશે. વણથલીથી જામનગર તરફ વિહાર કરવાના વિચાર હતા, પણ એક મુનિરાજ બિમાર થઈ જવાથી જૂનાગઢ જવું પડયું, ચેામાસાના દિવસે આવી રહ્યા હતા તેથી જામનગર જવાનું મુલતવી રહ્યું અને વેરાવળના શ્રીસ ઘની વિનતિને માન આપી વેરાવળ ચેામાસા માટે નિણય કર્યો. પણ ક્ષેત્રસ્પર્ધાના પ્રબળ હોય છે. બિમાર મુનિમહારાજની તબિયત વધારે ખરાબ થવા લાગી, જૂનાગઢના શ્રીસંઘની તા ઘણા વખતથી ચામાસા માટે વિનતિ હતી પણ મહારાજશ્રીની ઇચ્છા વેરાવળમાં કાંઈક ધમ કાય થાય તે દ્રષ્ટિએ તે તરફ હતી, પણ જૂનાગઢ રહેવાની જરૂર પડી. શ્રીસંઘને આનંદ આનંદ થશે. વેરાવળના શ્રીસધને નિરાશા થઇ. મહારાજશ્રીએ પં. શ્રી સાહનવિજયજી, મુનિશ્રી વિદ્યાવિજયજી, મુનિશ્રી વિચારવિજયજી, મુનિશ્રી સમુદ્રવિજયજીને વેરાવળ મેાકલ્યા. સ. ૧૯૭૨ નુ ૩૦ મું ચામાસું જૂનાગઢમાં થયું.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy