SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીર આચાર્ય પંજાબમાં પર્યુષણમાં બધી જગ્યાએ પ્રાયઃ ભગવાનની પ્રતિમાને વરઘોડો નીકળે છે. તે દિવસ ઉત્સવ તરીકે ગણાય છે. સામાનામાં પણ તૈયારી થવા લાગી. શાન્તભૂતિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ પાલીતાણાથી બે નાની મનહર મૂતિઓ સાથે એક શ્રી શાંતિનાથ ભગવાનની દિવ્ય પ્રતિમા એકલા હતી. તેને નગરપ્રવેશ આનંદપૂર્વક થયે. તે વખતે સ્થાનકવાસી ભાઈઓ તરફથી હરકત કરવામાં આવી હતી પણ આપણું ચરિત્રનાયકે ઉપદેશામૃતથી શાંતિ ફેલાવી. કેટલાક સનાતની ભાઈઓ પણ મહારાજશ્રીના સમાગમથી પ્રેમ રાખતા હતા, તેઓએ આ કામ પિતાનું સમજીને રથોત્સવમાં પૂરી સહાયતા કરી. રત્સવ તે થે. પ્રભુની પ્રતિમાને પ્રવેશઉત્સવ આનંદપૂર્વક ઉજવાયે, પણ પર્યુષણના જલુસનું શું થાય! તે વિષે ચિંતા રહેતી હતી. તેવામાં લાલા સીતારામ અને લાલા પંજાબરાય આવ્યા. મહારાજશ્રી ! આપ શા માટે ચિંતા કરે છે ! અમે શું કામ આવીશું? ભલે અમે સનાતન ધર્મ પાળીએ પણ આપના પ્રત્યે તો અમારી ભક્તિ અહોનિશ છે અને રહેશે” બન્ને ગૃહસ્થાએ પિતાની ભાવના વ્યક્ત કરી. “ભાગ્યશાળીઓ ! તે ક્યાં નથી જાણતે ! તમે તે શ્રાવકજને કરતાં વિશેષ ભક્તિભાવ ધરાવે છે! પણ પર્યુષણના ઉત્સવ માટે તૈયારી તે ખૂબ ચાલે છે અને રાજ્ય તરફથી મના થઈ તે શું થશે?” મહારાજશ્રીએ ચિંતા વ્યક્ત કરી.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy