SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ સરસ્વતી મંદિરનું બીજારોપણ રાખવામાં આવ્યું. તે ધીરેધીરે ઉન્નત થઈ. આજે તે હાઈસ્કૂલ બની ગઈ છે. અંબાલાથી વિહાર કરી આપ સામાન (પતિયાલા રાજ્ય પધાર્યા. અહીં તે સમયે મૂર્તિપૂજકના માત્ર પાંચ જ ઘર હતાં. બાકી બધા સ્થાનકવાસી હતા. તે પણ આપને નગરપ્રવેશ ધૂમધામથી થયે. અન્યધર્માવલંબી મોટી સંખ્યામાં પ્રવેશ-ઉત્સવમાં આવ્યા હતા. કેઈ તે કુતૂહલવશ આવ્યા હતા, કોઈ ભકિતવશ, કોઈ સાધુવરના દર્શનાર્થ આવ્યા હતા. કેઈ આપના વચનામૃતે સાંભળવાની ભાવનાથી આવ્યા હતા. કોઈ શ્રાવકોની શરમાશરમીથી આવ્યા. હતા. ઉપાશ્રયમાં મેટી ભીડ જામી હતી. આપે મંગલાચરણ કર્યું અને આખી સભા શાંત થઈ ગઈ. આપે ઉપદેશ આપ્યું અને એ વચનામૃતે સાંભળી જનતા મુગ્ધ થઈ ગઈ. પછી તે હમેશાં આપની વાણી સાંભળી ધર્મ–પિયૂપનું પાન કરવા જૈન જૈનેતરે આવવા લાગ્યા. કેટલાક સ્થાનકવાસી ભાઈ એ પણ પોતાની ભૂલ સુધારી પુનઃ વીતરાગ ધર્મના શુદ્ધ માર્ગમાં સમ્મિલિત થઈ ગયા.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy