SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ વાણુનો ચમત્કાર ૧૭૧ છે. ઉપાશ્રય પણ સરસ છે. અને એટલું જ નહિ પણ મંદિરની પ્રતિષ્ઠા તથા આપણા ચરિત્રનાયકને આચાર્ય પદાર્પણ ક્રિયાવિધિ પણ ભારત જૈન સંઘની ભાવનાથી એજ લાહોરમાં ભારે મહોત્સવ પૂર્વક થઈ હતી. લાહોરથી વિહાર કરી કસૂર થઈ પટ્ટી જતાં રસ્તામાં ચટયાંવાલા ગામ આવ્યા. એક દિવસ પોતાના પ્રિય શિષ્ય શ્રી લલિતવિજયજી મહારાજની સાથે જંગલથી આવતા હતા. રસ્તામાં એક અખાડે નજરે પડશે. તેમાં એક સીબ પહેલવાન દંડબેઠક કરતા હતા. “ ગુરુદેવ! આજ સરદાર હીરાસિંહ ” લલિતવિજયજી મહારાજે જણાવ્યું. “ઓહ! ત્યારે તે જરૂર તેમને જેવા જોઈએ. તેમના વિષે તો મેં ઘણું સાંભળ્યું છે.” આપણા ચરિત્રનાયકે અનુમોદન આપ્યું. સાહેબ! એ શીખ ગૃહસ્થ છે. સુખી ઘરના છે. વ્યાયામને ભારે શેખ છે. પંજાબભરમાં મગદળ ચલાવવામાં તેની જોડી નથી. કહેવાય છે કે લોઢાના ભારેમાં ભારે મગદળે તે ફેરવી શકે છે.” ચાલે તે તરફ થઈને જઈએ” જ ચાલે.” નાને એ અખાડા, પાસે જ લેઢાની મોટી મગદળો પડેલી અને એક હષ્ટપુષ્ટ સુદ્રઢ યુવાન વ્યાયામ કરતો હતે. શું સરદાર હીરાસિંહ તમારું જ નામ કે!”
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy