SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીર આચાર્ય “વાહ ! તે તે તું હવે વ્યાખ્યાતા થયે. બધા કહે છે કે તારી જીભમાં માધુર્ય છે. લોકોને તારું વ્યા ખાન બહુ જ પસંદ પડ્યું- હું ભાઈજીને કહીશ કે હવે તને જ વ્યાખ્યાન માટે કહે. તારે તે મેટા વ્યાખ્યાતા પણ થવું જ પડશે ને ?” આચાર્યશ્રીએ ઉત્સાહ વધાર્યો. આપણા ચરિત્રનાયકનું આ પ્રથમ વ્યાખ્યાન. અને એ પ્રથમ વ્યાખ્યાનથી જ તેમની વકતૃત્વ શક્તિના દર્શન થયાં અને ગુરુદેવની આશીષ ફળી. મારવાડના એક નાના ગામમાં શરૂ કરેલી વ્યાખ્યાનમાળા જગતના ચોકમાં પહેચશે, પંજાબથી માંડી દક્ષિણ સુધી એ વ્યાખ્યાનનાં ગુંજનો ગાજશે એવી તે કઈને કલ્પના પણ નહોતી. પાલીમાં આચાર્યશ્રીએ સં. ૧૯૪૬ ના વૈશાખ સુદી ૧૦ ના શ્રી નવલખા પાર્શ્વનાથજીના મંદિરમાં આપણું ચરિત્રનાયક તથા બીજા છ સાધુઓને વડી દીક્ષા આપી. આચાર્યશ્રી વિહાર કરી જોધપુર પધાર્યા. આપણા ચરિત્રનાયક ગુરુવર્ય શ્રી હર્ષવિજયજી મહારાજની તબિયત નરમ રહેતી હોવાથી તેઓ પાલીમાં રહ્યા. એ રીતે ૧૯૪૬ નું ત્રીજું ચોમાસું પાલી (મારવાડ) માં થયું. પાલીમાં ઘણીવાર તેમને વ્યાખ્યાન વાંચવું પડતું. પર્યુષણમાં તે આઠે દિવસ તેમણે જ વ્યાખ્યાન વાંચી લોકનાં મનરંજન કર્યા હતાં. અહીં ચોમાસામાં ગુરુમહારાજની પાસે આત્મપ્રબોધ અને કલ્પસૂત્રની સુબાધિકા ટીકાનું અધ્યયન કર્યું. ગુરુદેવ બહુજ શાંત અને અધ્યયન કરાવવામાં કુશળ હતા. આચાર્યશ્રીના કેઈપણ શિષ્ય એવા
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy