SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત ચોઘડિયું વચન, કાયાથી કોઈ જાતની તકલીફ આપી હોય-આપનું મન દુભાવ્યું હોય તે આપ દયાળુ મને ક્ષમા કરશે. હું અજ્ઞાની છું. મારી વાત મનમાં ન લાવશે. ” વાત કરતાં કરતાં ખીમચંદભાઈનું મન ભરાઈ આવ્યું. તેમણે ગુરુમહારાજના ચરણ પકડી લીધા. “ખીમચંદભાઈ! ઊઠે, ઊઠો, આ શું? તમે બાળક છે? તમે તે બહાદુરીનું કામ કર્યું છે. તમે નિકટના ભવ્ય જીવ છે. મેં ઘણાને દીક્ષા આપી છે, પણ આ પહેલે પ્રસંગ છે કે આ રીતે આનંદપૂર્વક રજા મળે. તમારે ભાઈ બડભાગી છે. તેનાથી જૈન ધર્મની પ્રભાવના થશે.” ગુરુમહારાજે ખીમચંદભાઈને પિતાના ચરણમાંથી ઉઠાડી મધુર શબ્દમાં ધન્યવાદ આપ્યો. દયાસાગર ! હું એજ ઈચ્છું છું કે આપની વાણું ફળે. હું મારા પ્રિયબંધુ–મારી જમણી ભુજાને આપના ચરણે સેંપું છું. તેને આપ સદા આપની પાસે જ રાખશે. તેને કદી જુદે ન કરશે. તે બાળક છે. તેનાથી કોઈ અપરાધ થઈ જાય તે આપ તેને ક્ષમા કરેશે.” બોલતાં બોલતાં ખીમચંદભાઇની આંખે આ સુએથી છલકાઈ ગઈ. “ભેળા રે ભેળા ! શું કહે છે ! છગન તે મારે લાડકો શિષ્ય થશે. તે મારો સીધે વારસ થવા સર્જાયેલ છે. તેને હું કદી દૂર નહિ કરુ ” આચાર્યશ્રીએ ભવિષ્ય વાણી કહી. “કૃપાનિધાન ! રજા તે આપી મનના આનંદથી આપી. પણ ભાઈ જેવા ભાઈને છેડતા આજે પણ જીવ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy