SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અને તે ઉપરાંત દેશવીરો ધર્મવીરના જીવન ચરિત્રે પણ લખાવા માંડ્યા છે, એ આ જમાનાનું શુભ ચિહ્ન છે. આ પુસ્તક એ એક પ્રયત્ન છે. જૈન તવારીખમાં પુષ્કળ લેખન સામગ્રી ઉપલબ્ધ થઈ શકે છે, પરંતુ તેમાં જૈનેતર લેખકોએ ચંચપ્રવેશ નથી કર્યો. તે પ્રત્યે પ્રયત્ન કરવાને કેઈએ સંકલ્પ કર્યો હોય તે તે સફળ થયો નથી. આથી તે કાર્ય જૈન લેખકે, અધિકારીઓ, શિક્ષકે ગ્રેજ્યુએટ અને સાધુઓ પર આવે છે, કારણ કે તેમને જૈનગ્રંથો અને સામગ્રીને વિશેષ પરિચય કરવાની અનુકૂળતા અને જોગવાઈ મળી શકે છે. એક વિદ્વાન લખે છે કે – “ઈતિહાસને સર્જનારા તો ગયા, પણ એ સજાએલા ઇતિહાસને એકઠો કરનારા નથી જાગતા. આપણે જ માટીમાં આપણું રત્નો દટાયાં. આપણા પગ નીચે ચગદાયાં. એને વીણવા માટે દરિયાપારથી ટૉડ આવ્યા, ફાર્બસ અને વોટ્સન આવ્યા; તેઓ કંઈ ખાસ ઇતિહાસ સંશોધનને માટે નહાતા નીમાયા. હાથમાં પાએલા પ્રાંતની હાકેમી કરતાં જ તેઓને આપણી પ્રેમકથાઓને અને શૌર્યવર્તાઓનો નાદ લાગ્યો હતો. આપણા ખંડેરોમાં દટાએલ ભૂતકાળનો પિકાર એને કાને પડે હતો. ઘેડે ચડી ચડીને એ ઈતિહાસના આશક પહાડોની શિખરમાળામાં ભટક્યા. અખંડ અને રોમાંચક ઇતિહાસ આપીને આજ એ ઇતિહાસના આશકે કબરમાં સૂતા છે અને એના લખ્યા ભાખ્યાંના આજ આપણે ભાંગ્યા તૂટયા તરજૂમા કરીએ છીએ. આપણને–હિંદ માતાની તવારીખના મિથ્યાભિમાની વારસદારને
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy