SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત શ્રાવક ગણ ૨૩૭ भागचंद उहो पृथ्वीराज भिड, जिण कलि उपर लाको कियो ?x ઉપરની હકીક્તથી સમજી શકાય છે કે (૧) આ ઘટના રાતના નહીં પણ દિવસની જ બની હોય, કેમકે એ સમયે લક્ષ્મીચંદ્ર અને મનહરદાસ દરબારમાં ગયા હોવાનું લખેલ છે એથી (૨) લમીચંદ્ર અને મનોહરદાસ દરબારમાંજ વીરગતિને પામ્યા હોય, કેમકે તેઓ દરબારમાં જ હતા, અને ઘરે માર્યા ગયાની નામાવલિમાં એમનું નામ નથી. (૩) એમનાં માર્યા જવાનું કારણ કરમચંદજી પર મહારાજા રાયસિંહની અવકૃપા નહીં, પરંતુ કેઈ અજ્ઞાત કારણથી ભાયચંદ્ર, લક્ષ્મીચંદ્ર પર મહારાજા સૂરસિંહજી કેપિત થયા હોય. અમારા આ અનુમાનમ બે કારણ છેએક તો એ કે વચ્છાવત + ભાઈઓ ઘણા મહિનાઓ સુધી નહીં, બલકે વર્ષો સુધી બીકાનેરમાં રહ્યા હતા, એ સિદ્ધ થઈ ચૂકયું છે. એટલે જે પહેલાંનુજ વેર હોત, તો તે ત્યાં ઘણાં વર્ષો સુધી *વસ્થાવત વંશને આદિમ કુળ ચૌહાણ છે, એટલે કવિએ તે કુળમાં થઈ ગએલા નર નેની પ્રશંસાપૂર્ણ આ કવિતા રચી છે. આ કવિતામાં લખેલા પૃથ્વીરાજ ચૌહાણ અને હમીર તે સુપ્રસિદ્ધજ છે. જાલોરના કાહડ વીરમાદેનું નામ કર્મચન્દ્રવંશ પ્રબંધમાં આવે છે, એમને વિશેષ પરિચય સાપ્તાહિક જૈનના રૌપ્ય મહોત્સવાંકના પૃ. ૫૪ પર આપેલ છે. + ભાગ્યચકને માટે લખેલી “પૃથ્વીરાજ રાસો” ની ગુટકાકાર ત્રતિ બીકાનેર ટેટ લાયબ્રેરીમાં વિદ્યમાન છે, જેની અંય પ્રશસ્તિ આ છે मत्रीश्वर मडल तिलक, वच्छा वंश (व)खाण । કરમચંર દુત વારમ વ૩, મારચંદ્ () બાળ | 1 || तमु कारण लिखीयो सही, पृथ्वीराज चरित्र ।। पढ़तां सुख संपत्ति सकळ, मम सुख होवे मित्र । २ ॥
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy