SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ વયા. વિદ્વાન શિષ્ય સમુદાય ૧૬૭ માહ માસમાં ત્યાંજ દ્રૌપદી ચૌપઈ વૃદ્ધાવસ્થા હોવા છતાંય રચી. અહીંજ એમનો સ્વર્ગવાસ થયે. સંવત વગરની મોટી અને ઉલ્લેખનીય કૃતિ નીચે મુજબ છેઃ (૧) સામાચારી શતક, (૨) સીતારામ ચૌપઈ, (૩) કલ્પલતા ટીકા, (એ ત્રણેનો ઉલ્લેખ ઉપરોક્ત નોંધમાં આવી ગયો છે, (૪) સારસ્વત રહસ્ય, (૫) સેટ-અનિટ ધાતુ-લક્ષણ સમુચ્ચય (૬) ખરતરગચ્છ પટ્ટાવલી, (૭) વિમલ યમલ સ્તુતિ વૃત્તિ, (૮) અલ્પાબડુત્વ ગર્ભિત સ્તવન પજ્ઞ ટીકાક, (૯) ત્રાષભ ભક્તામર૪, (૧૦) દ્રૌપદી સંહરણ (૧૧) મહાવીર ર૭ ભવ, (૧૨) ષડાવશ્યક બાળાબેધ, (૧૩) પ્રશ્નોત્તર પદ (વિચાર, જે. ભં. સૂ) (૧૪) વાડ્મટ્ટાલંકાર વૃત્તિ, (૧૫) ભજન વિછિનો દર યાદિ તથા નાના મેટા સ્તવન સજઝાય અષ્ટક આદિ મળીને સેંકડોની સંખ્યામાં અમારા સંગ્રહમાં છે, જેને યથા સમયે પ્રકટ કરવામાં આવશે. ઉ. સમયસુંદરજીના અનેક વિદ્વાન શિષ્ય હતા, જેને પરિચય કવિવરના જીવન ચરિત્રમાં આપવામાં આવશે. અહીં તો માત્ર એમના એક ઉદ્ભટ વિદ્વાન શિષ્ય વાદી હર્ષ નંદનજીનો છેડે પરિચય આપવામાં આવે છે. વાદી હર્ષનંદનજી સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા, એમની વિદ્વત્તાની પ્રશંસા કવિવર પોતે પણ પોતાની કલ્પલતા વૃ આદિમાં કરે છે. ન્યાય અને વ્યાકરણ વિષયમાં તે એમની વિદ્વત્તા એક કવિવરની સ્વસ્તિલિખિત પ્રતિ સં. ૧૯૮૦ માં કારની અંદર યતિ શ્રી પૂનમચંદજીને ભંડાર કે જે આચાર્યવર શ્રીજિનભદ્રસુરિજી સંસ્થાપિત હતા. તેમાં આ સંપાદકે જોઈ હતી. દુ;ખનો વિષય છે કે આજે એ આખેય ભંડાર કશિષ્યના હાથે જતાં સમૂળો નાશ થs ગયો છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy