SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન શાસન સેવા ૧૪૩ પ્રમાણે ભેગ ભેગવ્યા વિના સાધુ બનવું એ ઠીક નથી, કિંતુ મુક્ત ભેગી થઈને સાધુ થવું સુખકર છે. સમ્રાટે પોતાનું મંતવ્ય જણાવ્યું. એટલે સૂરિજી મહારાજ કહે છે કે : સમ્રાટ! લાંબા સમયથી આત્મા ઇન્દ્રિયના વિષયમાં આસક્ત બની રહેલ છે. આથી ગૃહસ્થાવાસમાં રહી એ વિષય-વાસનાઓથી વિરક્ત થવાની ભાવના જાગે, એ બહુ ઓછું સંભવિત છે, કારણ કે આત્મા વિષયને અનુરાગી અનાદિ કાળથી છે એટલે વિષયવાસનાના સાધનોને પહેલેથીજ ત્યાગી દેવા યોગ્ય છે. બ્રહ્મચર્યને જૈનધર્મમાં ઘણુંજ ઉંચું સ્થાન અપાયું છે. એને પાલન અને રક્ષા માટે અત્યંત આકરી નવ આજ્ઞાઓ શાસ્ત્રકારોએ દર્શાવી છે, કે જેથી સુખપૂર્વક અને નિર્વિધને બ્રહ્મચર્ય વ્રત સ્થિર રાખી શકાય, તે આજ્ઞાઓ આ પ્રમાણે છે – (૧) જ્યાં સ્ત્રી, પુરુષ, પશુ કે નપુંસકને નિવાસ હોય તે સ્થાનમાં ન રહેવું (૨) વિષય વિકારોની જાગૃતિ કે અભિવૃદ્ધિ થાય એવી વાત સુદ્ધાં ન કરવી, ન સાંભળવી. (૩) જ્યાં રડી બેઠેલ હોય. એ સ્થાનકે એ આસન પર બે ઘડી પહેલાં ન બેસવું. (૪) દિવાની આડમાંય કે જ્યાં સ્ત્રી, પુરુષ કામ–કીડા કે પ્રેમ વાર્તાઓ કરતા હોય ત્યાં ન રહેવું, કે ન સાંભળવા ઉભા રહેવું. (૫) પૂર્વાવસ્થામાં ભેગવેલા ભેગનું મરણ સુધ્ધાં ન કરવું. (૬) ચિકણી રસભરપુર કે કામદીપક પદાર્થોનું ભજન કે ઉપભોગ ન કર. (૭) સ્ત્રી કે પુરુષ કેઈનેય સરાગ દષ્ટિથી ન જેવા. (૮) હંમેશાં જરૂરત કરતાં ઓછું ભોજન લેવું, જેથી આળસ કે વિકાર ઉત્પન્ન ન થાય.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy