SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અકબર પ્રતિબંધ ૭૭ જ્યારે એ પિતાના સદ્ગુણોમાં સ્થિર બની જ્યાં સુધી એમાં લીન રહે છે ત્યાં સુધી એમાં ભારે શુદ્ધિ રહે છે. કામ, ક્રોધ, મેહ, અજ્ઞાન આદિ દુર્ગણ સાથે સંબંધ થતાં સાથોસાથ કર્મોનું બંધન થઈ જાય છે. આ કર્મોને કારણે જ વિવિધ જવાનિમાં નાના પ્રકારના રૂપ ધારણ કરી જીવ કયારેક મનુષ્ય ક્યારેક પશુ પક્ષી તો કયારેક દેવરૂપમાં અવતરે છે. પિતાના પુણ્ય પાપને કારણે કોઈવાર રંક, કેઈવાર સબળ, કઈવાર દુર્બળ, તે કેહવાર સત્તાધીશ કે કેહવાર ભિક્ષુક આદિ સ્થિતિથી જગતમાં પોતાનો પરિચય આપી પિતે અનેક જાતના સુખદુઃખ અનુભવે છે. પ્રત્યેક આત્માએ આવા અનેક પર્યાયે ધારણ કર્યા છે, અને જ્યાં સુધી એની સાથે કર્મોને સંબંધ છે. ત્યાં સુધી એ પર્યાયે ધારણ કર્યાજ કરશે. કર્મોનો સર્વથા વિનાશ થતાં, આત્માને શુધ સ્વભાવ પ્રકટ થાય છે. આત્માની આ અવસ્થાને જ જૈન-દર્શનમાં પરમાત્મા કે ઈ ર હ છે. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક જીવ પરમાત્મા બની શકે છે. આથી પ્રત્યેક પ્રાણીનું એ કર્તવ્ય છે કે એ પમાત્મા બનવાના કારણેને સમજે, અને એને અનુકૂળ પિતાનું વતન રાખે. જે માર્ગને આશ્રય લઈ આત્મા પરમાત્મા બને છે, એ માર્ગને ધર્મ અથવા સાધક અવસ્થાને નામે ઓળખવામાં આવે છે અને દુર્ભાને પેદા કરી કર્મ બાંધનાર જેટલાં કારણે છે, એને પાપ કે બાધક અવસ્થા કહે છે. પ્રત્યેક પ્રાણીને સાધક અને બાધક માર્ગનું જ્ઞાન હોતું નથી. આથી જેઓ તત્ત્વજ્ઞાનના ઉંડા અધ્યયન દ્વારા એને યથાવત્ જાણી. સાધક માર્ગને આશ્રય લે છે, અને બીજાઓને સન્માર્ગ
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy