SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અકબરનું આમન્ત્રણ સમસ્ત સંઘ સહિત ફોધી પધાર્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન મંદિરમાં પ્રભુદર્શન કર્યા. ત્યાંથી વિહાર કરી સૂરિજી નાગોર પધાર્યા, મંત્રીશ્વર મેહાએ પ્રસન્નચિત્તે વિપુલ ધન ખરચી સ્વાગતપૂર્વક નગર પ્રવેશત્સવ કર્યો. ત્યાં બિકાનેરને સંઘ સૂરિજીને વાંદવા આવ્યો. આ સંઘની સાથે ૩૦૦ સિજવાલા (પાલખી) અને ૪૦૦ વાહને હતાં. તેઓ સ્વધામ-વાત્સલ્યાદિ કરી પાછા ફર્યા. ત્યાંથી વિહાર કરી સૂરિજી બાપેલ, પડિહાર, માલાસર આદિ ગામમાં થઈ રિણ ૪ (બિકાનેરથી ૧૪૪ માઈલ) પધાર્યા, ત્યાંના લોકે ઉત્સાહપૂર્વક અરિજીનું સ્વાગત કરવા આવ્યા. સમસ્ત સંઘની સાથે મંત્રીશ્રવર શ્રીઠાકુરસિંહના પુત્ર મંત્રી શ્રીરાયસિંહે પ્રવેશત્સવ આદિ કરી ગુરુભક્તિ દર્શાવી ત્યાં મહિમને સંઘ ગુરુવંદનાર્થે આવ્યું, ને શ્રીશિતલનાથ પ્રભુના પ્રાચીન ભવ્ય જિનાલયનાં દર્શન પૂજન કરી, સૂરિજીને વાંદી, સંઘ પાછો ફર્યો. સૂરિજીએ પી રિહાર કર્યા. લાહોર સુધી ભક્તિ કરવા શાહ શાંકર સુત વીરદાસ સાથે થઈ ગયા. ક્રમશ: સૂરિજી સરસ્વતી પત્તન (સરસા) અને કસૂર થઈ હાપાણઈ પધાર્યા. ત્યાંથી લાહેર માત્ર ચાલીસ કોસ રહ્યું. સૂરિજીના શુભાગમનને સંદેશ લઈ જે માણસ લાહોર ગયો તેનું મંત્રીધરે ખૂબ સન્માન કર્યું અને એને સોનાની જિલ્લા તેમજ કરકંકણાદિ ભારે મૂલ્યવાન વસ્તુઓની ભેટ આપીને સંતુષ્ટ કર્યો. *આ રિણી શહેર ખૂબ પ્રાચીન છે. અહીં અગાઉ ડહાલિયા રાજનું રાજ્ય હતું. અહીં સં. ૯૪૬ આસપાસ બનાવેલું શ્રીશિતળનાથ સ્વામીનું મંદિર હજુય વિદ્યમાન છે, કે જે એટલું સંગીન અને મજબૂત છે કે જાણે આજેજ બન્યું હોય એવું લાગે છે. કેટલીક જગ્યાએ એનો નિર્માણકાળ સંવત ૯૯૯ લખાએલ છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy