SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્માવતીના આવાસમાં તુર હતાં. નવે સભ્યાને એક બીજા પર સંપૂર્ણ વિશ્વાસ હતા. ગુન્હાના કળશ કાના પર ઢળે છે, તે જ જોવાનું બાકી હતું. 39 વરચિતે પણ આ ચર્ચાએ સતેજ બનાવ્યા હતા. વિદ્યાપીઠના અધ્યાપક બન્યા પછી જ તે સમજવા લાગ્યા હતા કે, જગત ક્રમ ચાલે છે. રાજ્યના કાવાદાવાના વિચાર। ભાંગીને ભૂક્કા થવા લાગ્યા હતા. રાજખટપટના વિચારો કરવા, અને રાજખટપટમાં પ્રત્યક્ષ ભાગ લેવા એ ખતેની તુલના કરવાને પ્રસંગ હવે જ આવ્યા હુંતેા. : પંડિત ચાણક્યનું સ્થાન વરરૂચિને પ્રાપ્ત થયું હોવા છતાં; પ્રતિભામાં ઘણા ફરક હતા. જે તે જ ચાણક્યમાં હતું, તે તે જ વરરૂચિમાં નહાતું. એક અભિમાનને આધીન હતા, જ્યારે બીજા અહંકારને આધીન હતા. એકનું અભિમાન `સ્વાભિમાન માટે વપરાયું, ત્યારે બીજાના અહંકાર વિનાશના માર્ગો ખુલ્લે કરવા લાગ્યા. વરચિએ જ્યારથી પદ્ઘાવતીને જોઇ હતી, ત્યારથી તેમને અવનવાં સ્વપ્રોના ભાસ થવા લાગ્યા હતા. તેમને મહાઅમાત્ય થવાની લાલસા જાગી હતી. વરરૂચિ વિદ્વાન હતા, પણ તેમની વિદ્વતા અસ્થાને હતી. પદ્માવતી સદ્ ગુણુસ ́પન્ન હતી. તેના કંઠની મધુરતા ગમે તેવા તપસ્વીના તપમાં ભંગ પાડવાને યશસ્વી નીવડે તેવી હતી. તેનું સૌદર્યાં, ગમે તેવી રૂપ વિષ્ટાના ગ ઉતારે તેવું હતું. ગાવા ઉપરાંત તેણે સિતાર પર પણ સારા કાબૂ મેળવ્યા હતા. તેનું નૃત્ય અજોડ હતું. સૌ, નૃત્ય અને કંઠની મધુરતા વડે જ, તેને તેના કાર્યમાં યશ મળવા લાગ્યા હતા. પંડિત વરરૂચિ અને વિજય તેને ખુશી રાખવા માટે તનતાડ
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy