SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજાની ચિંતા કુશળ મંત્રી ઉપરાંત વિદ્વાન પણ હતા. તેમણે, ચાણકયે બતાવેલા ક્રોધ માટે પિતાના દીલમાં ખી રહેલા વિચારે રાજા આગળ દર્શાવ્યા. મહારાજાનંદ ચિંતામાં હતા. તે જાણતા હતા કે ચાણક્ય એકલા ઉપદેશક જ નહતા પણ, એક રાજનીતિજ્ઞ પુરૂષ પણ હતા. ચાણક્યના ગમનનું પરિણામ કદાચ દુઃખદાયક પણ નીવડે. મહામંત્રી ! ” મહારાજા બોલ્યાઃ “પંડિતજીએ તમારું પણ માન રાખ્યું નહિ? તેઓને-ત્રિપુટીને ૨ પાટલીપુત્રમાં લાવનાર, નાલંદા વિદ્યાપીઠના ઉપદેશક-ગુરૂ બનાવનાર વિષે પણ તેમણે વિચાર ન કર્યો? જેનું ખાધું તેનું જ ખેદવાને–તેને જ નાશ કરવાને તૈયાર થયા ? શું, પંડિતોને આશ્રય આપવામાં, તેમને મદદ કરવામાં અને તેમને મહાન બનાવવામાં રાજાઓ ગુહાને-દોષને પાત્ર ઠરે છે ? તે ત્રિપુટીને લાવવાની ભૂલ જે મેં કરી ન હોત તે આ પ્રસંગ કદાચ અસંભવિત બનત. પંડિતોનું–ઉપદેશકોનું માહાસ્ય એટલે જ સહનશીલતા. જે તેમનામાં સહનશીલતા ન હોય તો તેમની મહત્તા પણ શી? તેમનું ગૌરવ પણ કયાં ? તેમને વિદ્યાપીઠના ગુરૂ બનાવવાની આવશ્યક્તા પણ શી? વિદ્યાર્થીઓને મોટામાં મોટું એક જ શિક્ષણ આપવાનું હોય છે, અને તે “સહનશીલતા.” પુત્ર ગમે તેટલો દેષિત હોય તે પણ મા બાપ તેને ક્ષમા કરે છે. પ્રજા ગમે તેટલી ઉર્ફેબલ હોય તે પણ રાજા તેને સહી લે છે-ક્ષમા કરે છે. જે સાત વરસનું બાળક નિર્દોષભાવે પંડિતજીને હસ્યું હતું, તે બાળક જેવી રીતે મારું હતું, તેવી જ ક્ષી અભ્યાસ તેમણે મહારાનંદ-નવમા નંદના દરબારમાં મહાઅમાત્ય અકાળના શિષ્ય તરીકે જ કરેલ હતો. ૨ પાણિની, ચાણકય અને વરચિઃ આ ત્રણેની ત્રિપુટી કહેવાય છે.
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy