SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જે ભવ મહાન, તેવું મન મહાન બનાવાય. તે આંતર સંપત્તિ અને નિર્ભેળ શાંતિની રેલમછેલ. મહાવીર પ્રભુના મહાન મનમાં અને રાજા શ્રેણિકના મહાન મનમાં દુઃખ દેનારા પર દ્વેષ નથી વરસતે, દુઃખને સંતાપ નથી થતું. એમ તમને તમારે ઉપકાર પામેલા પુત્રાદિ તરફથી દુઃખ હોય એમ બને, છતાં એને સંતાપ નહિ, એમના પર દ્વેષ નહિ, એવું મન મહાન બનાવે. તેમ તમે તમારા ઉપકારીના ઉપકારને ન ભૂલે એમને સંતાપ કરનાર ન થાઓ, પણ સેવા–શાંતિ આપનારા થાઓ એવું મન મહાન બનાવે. જે મન મહાન બને તો પછી બીજા પર આપણે બહુ ઉપકાર કર્યામાં પણ કશું કર્યું ન લાગે, ને બીજાએ આપણું પર છેડે પણ ઉપકાર ક્યમાં એણે ઘણું કર્યું દેખાય. સાંકડા શુદ્ર મનમાં આથી ઉલટું હોય. એને પિતે મામુલી કરીને ઘણું ઘણું કર્યું લાગે! ને બીજએ પિતાના પર ઘણું બધું કરવા છતાં કશું કર્યું લાગે નહિ ! ત્યારે આ એક વાત વિચારો કે મેં તમારા પર ઉપકાર કેટલે કર્યો છે? પૂર્વ જનમના ધર્મે અહીં તમને અમૂલ્ય માનવ-અવતાર અને રુડા માનવદેડથી માંડીને કેટકેટલું આપ્યું છે? તે ધર્મના આ અથાગ ઉપકાર વારેવારે યાદ આવે છે ને? યાદ લાવીને એ ઉપકારના ધંધની સામે ધર્મ પ્રત્યે શે બદલે વાળવાનું કરતા રહેવા માટે મન થયા કરે છે ? મન મુદ્ર સાંકડું નહિ, પણ મહાન હોય તો એમાં ધર્મના અથાગ ઉપકાર યાદ આવ્યા કરે, ને બદલામાં ધર્મનું ઘણું ઘણું કરવાની ઈચ્છા રહ્યા કરે, તેમજ એવા
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy