SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ભેગા ભળી ઉદય પામે, તેથી એનું પિતાનું ફળ દેખાડયા વિના માત્ર એનાં દળિયાં પ્રદેશ ઉદય પામે. આને પ્રદેશદય કહેવાય. ત્યારે ફળ દેખાડે એ વિપાકોદય કહેવાય. બંને પ્રકારના ઉદયમાં પછીથી કર્મ ખપી જાય, અર્થાત્ આત્માની સાથેના સંબંધથી અલગ થઈ જાય. વાત આ, કે ઘણાં એવાં મેહનીય કર્મ છે કે જેને નિમિત્ત આપે તે જ વિપાકેદયમાં આવી એનું ફળ દેખાડે. માટે નિમિત્તથી આઘા રહેતાં ઘણે બચાવ મળે. આ પરથી સમજાશે કે જે એવાં નિમિત્તે ન સેવીએ એનાથી દૂર રહીએ, તો કેટલાંય મેહનીય કર્મના વિપાકેદયથી બચીએ અર્થાત્ તેવી તેવી મેહની લાગણીઓથી બચી જઈએ. પશુ કરતાં માનવને અવતાર પામ્યાની આ વિશેષતા છે કે, (૧) આપણને “હર્ષ–ખેદ કામ-ક્રોધ વગેરે એ મેન્ડની લાગણીઓ છે” એની ખબર પડે છે, (૨) એને જન્માવનાર નિમિત્તોની સમજ પડે છે. (૩) એ નિમિત્તોથી દૂર રહી, એ લાગણીઓથી બચી શકાય છે. (૫) અને એમ અનેક પ્રસંગમાં બચવાથી એના સંસ્કાર દઢ ન કરવાનું, તેમજ શુભ ભાવનાથી જૂના સંસ્કારોને નષ્ટ કરતા જવાનું કરી શકીએ છીએ. તેમજ (૬) એ રીતે અશુભ કર્મબંધનથી ય બચી શકીએ છીએ. માનવભવની આ મહાન વિશેષતાઓને ધ્યાન પર
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy