SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ય મનને એવી અસમાધિનું દુઃખ નથી. એ કાંઈ વીતરાગ નથી, એટલે બહારનું દુઃખ મનને દુઃખ તો લગાડે, પણ દુઃખ દેનારા પ્રત્યેના ભારે દ્વેષ-તિરસ્કારવાળું દુઃખ નહિ. સીતાને રામે ગર્ભિણી અવસ્થામાં જંગલમાં ત્યજાવી મૂક્યા, તે ત્યાં શું સીતાના મનને દુઃખ ન થયું ? દુઃખ તે થાય, પણ રામચંદ્રજી પ્રત્યે દ્વેષ તિરસ્કાર નહિ. દ્વેષ પિતાના પાપકર્મ અને એને ઊભા કરનારા પિતાના પૂર્વ જન્મનાં દુકૃત્ય પ્રત્યે. દુઃખ રામનું નહિ કે “આ કે દુષ્ટ નાલાયક પતિ મળે કે વગર વાંકે આવી ઘર સજા કરે છે ? ” ના; આ દુઃખ નહિ પણ દુઃખ જાતનું કે એવો કે મારે દુષ્ટ-નાલાયક આત્મા કે એણે એવાં પૂર્વજન્મમાં દુકૃત્ય આદર્યા ?” બાહ્ય દુ:ખમાં મનને બીજાની પ્રત્યે દ્વેષ તિરસ્કારભર્યું દુખ લાગે એ ભારે અસમાધિ; અને મનને જાતની દુષ્ટતા લાગી જાતનાં દૂષ્કૃત્યનું દુઃખ લાગે એ સમાધિ. સમ્યગ્દર્શન આ સમાધિ આપે છે. ભારે સંપત્તિ અને ઘેર આપત્તિ પર સમાધિ કેમ રહે એ માટે ભરતજી અને સીતાજી તથા શ્રેણિક-કૃષ્ણનાં દષ્ટાન્ત નજર સામે તરવરતાં રાખવા જેવી છે. એથી એમની અપેક્ષાએ આપણને મળતી સાવ મામુલી સંપત્તિ-વિપત્તિ ને તુચ્છ સુખ-દુઃખ વખતે સમાધિ જાળવી શકાય, ચિત્તને સ્વસ્થ રાખી શકાય. સુખ વખતે મનને એમ થાય કે “મને તે એવા કયા ચારે બાજુનાં સુખના ઢગલા મળ્યા છે કે વિઠાના કીડા કરમિયાની જેમ એને ચાટતો બેસી રહી એમાં મસ્ત
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy