SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ મમત્વ છે, તેથી એ છૂટી જવાના અવસરે મન આકુળવ્યાકુળ થાય એ સહજ છે. એટલે જ જો અહીં જીવતાં જ એ મમત્વ ન રાખ્યા હાય, મમત્વ ઉતારનારી હાર્દિક સચાટ ભાવના કેળવ્યા કરી હોય તે દુ:ખ ન થાય. મમત્વ ઉતારનારી ભાવના આ. કે “ આ પૈસા-પરિવાર વગેરેના સંચાગ નાશવંત છે, એક દિ' જવાના છે, મારુ એમાંનું કશું રહેવાનું નથી, માટે એમાં ‘ મારું મારું' શું કરું ? કશું જ મારું નથી એટલે હું તે અત્યારથી જ માનું કે જાણે આ બધા ઊપડી ગયા, અને હુ એકલેા જ છુ. અને હું એકલે પડવા છતાં ફિકર નથી, ભાગ્ય મારી પાસે છે તેમ મારા દિલમાં પ્રભુ અને એમના ધમ મારી સાથે છે. મારે શી ફિકર ? અને જગતમાં અઢળક જીવા એકલાઅટુલા કયાં નથી દેખાતા ? કેાના પર એ મમત્વ કરે? ત્યારે શું મારી પાસે આજે સંચાગે છે એટલે જ મમત્વ કરુ છું ને ? સયેગા ન હાય તા શાના પર મમત્વ કરવાનું ? સંચાગેાના પાપે મમત્વ થાય છે, માટે એવા પાપસ યાગેને આળખી રાખું, એ નિશ્ચિત જવાના એ રીતે એને અત્યારથી જ પર માની રાખુ, પરાયા લેભુ, જાઓ, તમે મારા છે જ નહિ, એ આ ઘડીથી ખરાખર સમજી રાખુ.” આમ વારંવાર ભાવના કરતા રહેવાથી જીવમાં એકત્ત્વની લાગણી ઊભી થાય, મમત્ત્વ મેળુ પડે, બાહ્ય મમત્ત્વ રહેતું હાય, પણ અંદરખાને બરાબર સમજી મૂકાય કે
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy