SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ શાસ્ત્રોના ભારે પરિચય અને હદયવેધી ચિંતનથી બુદ્ધિમાં અતિશય – વાત એ છે કે બુદ્ધિમાં એવો અતિશય ઊભું કરી દેવે જોઈએ; અને એ માટે શાને ભારે પરિચય રાખવે જોઈએ, એના કહેલા ભાવો પર હદયવેધી ચિંતન ચલાવ્યું રાખવા જોઈએ; તુંગિયાનગરીના શ્રાવકે માટે આ વિશેષણો આવે છે કે “લદ્ધઠ્ઠા, ગહિયા...” અર્થાત્ “શાસ્ત્ર કહેલા જીવાદિપદાર્થોને સાંભળનારા–સમજનારા-ચિંતવનારા અને પિતાના આત્માને એનાથી ભાવિત કરનારા.” એવા તો બીજા કેટલાય શ્રાવકે ભાવિત બનેલા શાસ્ત્રોમાં સાંભળવા મળે છે. તે શું એ પૂર્વકાળને જ શ્રાવકો માટે શક્ય હતું, ને તમારા માટે આજે શક્ય નથી ? શું આજે એ ભાવેને કહેનારા શાસ્ત્રોને સમજાવનારા ગુરુ નથી મળતા મળે જ છે; ને એનું પરિશીલન કરી કરી બુદ્ધિને એનાથી ભાવિત કરવાનું અને એ દ્વારા બુદ્ધિમાં એક અતિશય ઊભું કરવાનું પણ શક્ય છે. તો કેમ એ નથી કરાતું ? શાસ્ત્રો કોના માટે રચાયાં છે ? તમારા માટે નહિ? તમારા માટે રચાયેલાં શાસ્ત્રોનો ઉપગ તમારે નહિ કરવાનો ? દાદાજીએ તમારા માટે ખાસ ઘર, ખાસ કપડાં, ખાસ ફરનીચર, વગેરે કરાવ્યું હોય, તે તમે એને ઉપયોગ કર્યા વિના રહો ખરા? કે ચાહીને ખાસ મમતાથી ઉપયોગ કરે? ત્યારે મહર્ષિઓએ તમારા માટે ખાસ રચેલાં શાસ્ત્રોનો જ ઉપયોગ નહિ કરવાને? મહર્ષિઓ પર
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy