SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ છે, પણ કુમારને એમાં રસ નથી. પછી બધા સૂતા, સવારે વહેલાં ઊઠયા પછી પણ કુમાર પરમેષ્ઠિ–નમસ્કાર, આત્મચિંતા, તથા પરમાત્મભકિત કરવામાં લાગી જાય છે. જેનું જેમાં ચિત્તઠરતું હોય, એ એની પ્રવૃત્તિ સહેજે કરે હોંશથી કરે. કુમાર દેવભકિત કર્યા પછી સેનાને આગળ પ્રયાણને આદેશ આપે છે, એટલે એના એની તૈયારીમાં પડી; અને કુમાર પિતે મિત્રો સાથે આગળ ચાલવાનું કરે છે. આગળ વધતાં એક સરોવર આવ્યું. એ જોતાં ચિત્તને પ્રસન્નતા થાય છે, એટલે કનકરથ ત્યાં સરેવરની પાળે જઈને બેસે છે. એવામાં પાસેના ઉદ્યાનમાં પેલી સુંદરી જોવામાં આવી. જેઈને કુમારના મનને આશ્ચર્ય થયું કે “અહે! આ કેઈકે દેવલોકની દેવાંગના અહીં ક્યાંથી? સંભવ છે અહીં પારોમાં કેઈ તીર્થ હોય તે એની ભક્તિ માટે આવી હેય.” જુઓ કુમારની વિચારસરણી કઈ દિશામાં કામ કરી રહી છે? દેવાંગના જોતાં એનાં રૂપરંગ-સૌંદર્ય પર વિચાર નહિ યા એનાં આગમનનાં હેતુમાં બીજે કઈ વિચાર નહિ, પરંતુ તીર્થની કલ્પના થઈ આવે છે. પૂછો, દુન્યવી પ્રસંગમાં પણ ધમ સંબંધી કલ્પના શી રીતે આવતી હશે? કહે, બુદ્ધિમાં શાસ્ત્રદ્વારા અતિશણ ઊભું કર્યાથી એ આવે. આમાં મહત્ત્વની વાત બુદ્ધિમાં શાસ્ત્ર દ્વારા એક અતિશય ઊભો કરવાની આવી. આ બહુ મહત્વની વાત છે. કારણ એ છે કે જીવની બુદ્ધિ, મન, આશય, વલણ, અનાદિ અનંત
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy