SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૫ ગઈ કે એને તરત તમ્મર ચડી આવ્યા ને ધસ કરતી નીચે પડી. આ પુણ્યને ઉદય ? કે પાપનો? પડી એ સારું થયું કે ખોટું ? ચંડાળને હવે તલવારના ઝટકા દેવાનું વધારે ફાવે? કે પિલી ઊભી હોય ત્યાં વધુ ફાવે ? ઉતાવળી કલ્પના કરશે નહિ, દેખીતા નરસા પ્રસંગ કેટલીકવાર સારા માટે થાય છે. તેથી કહેવું પડે કે એનરસે પ્રસંગ ઊભું કરનારા કર્મને ઉદય શુદયનું કામ કરનાર કહેવાય. અહીં વિદત્તાને એવું જ બને છે. જ્યાં એ ધસ કરતાં નીચે પડી ને બેભાન છે ત્યાં ચંડાળ સમજ્યા કે આ બીકથી એમજ મરી ગઈ લાગે છે, તેથી એ એને એમજ પડતી મૂકીને ત્યાંથી ચાલી ગયા, અને નગરમાં પહોંચી ગયા. પિત્તા ગભરાઈ મૂછ પામી ગઈ, અને પડી નીચે, તથા વાગ્યું, એ અશુભકર્મનો ઉદય છે. પરંતુ એ એના શુભને માટે બન્યું; કપાઈ જતી બચી. ત્યારે “જીવતે નર ભદ્રા પામે, એ ન્યાયે જો જીવતી રહી છે તે કલ્યાણ દેખવા પામશે. જીવતી કપાઈ મરી હોત તો અહીં કલ્યાણ પામવાને અવકાશ કયાં રહેત? વિદત્તાનું ચિંતન :ચંડાળો મૂકીને ચાલ્યા ગયા, અહીં રાત્રિના ઠંડા પવનથી પિત્તાની મૂર્છા વળી, એટલે ભાનમાં આવીને જુએ છે તે ચંડાળ મારી નાખવા સજજ થયેલા દેખાતા નથી, એટલે ત્યાંથી ઊડીને જંગલ તરફ ચાલે છે. એના મનને વિચાર આવે છે કે
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy