SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ પોતાનું કમાયેલું ધન પાસે છતાં અને પિતાની ખરચવાની વૃત્તિ છતાં માણસની પિતાના જ કુટુંબી આગળ કેવી અશરણતા છે એના આ દાખલાની વાત ચાલી છે. વીલ તૈયાર થઈ ગયું છે, સહી સિકકા કરીને આગેવાનોને આપી દે એટલી જ વાર છે, પરંતુ શાંતસુધારસ શાસ્ત્ર કહે છે કે કુટુંબીઓ લૂંટવા બેઠા હોય ત્યાં જીવ અશરણ-નિરાધાર તે સુકૃત શું કરી શકે ? પત્નીને ખબર પડતાં......... પેલા શેઠની પત્ની બહાર ગયેલી તે કેકે એને કીધું કે તારા ઘરે મહાજનના આગેવાને ગયા છે. એ સાંભળતાં જ ઍકી,–“અરે ? એ કેમ ગયા હશે ? પહેલાં આવ્યા હતા નાણાં કઢાવવા, તે એમણે પાછા કાઢેલા પાછા એ ઘરે ગયા છે તે તે લાગે છે કે નાણું કઢાવવા હશે. મારા એ ભેળિયા છે. તેથી તે હું ધાર્યો માલ મારા પિયર ભેગો કરતી રહી છું. પણ એ હવે જે આ લોકોમાં ભેળવાઈ જાય તે ધનનું ઉઠમણું જ થાય, ને મારા બાર વાગે. માટે લાવ, જલ્દી જવા દે બસ, બાઈ ઝટપટ દોડી ઘરે. જ્યાં અહીં વીલમાં સહી કરવાની વાત આવીને ઊભી છે એટલામાં તે બાઈ આવીને ઊભી રહી. જોયું સરકારી સ્ટામ્પવાળે કાગળ કશેક લખેલો પડે છે. એને થયું કે, “હાય બાપ! આ શું?” શરમ મૂકીને આગેવાનોની વચમાંથી ઘુસી, ખટ કરતાંકને વીલને કાગળ ઊપાડે, સહેજ વાંચી જતાં લાખનું વીલ જણાયું.
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy