SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આ સ્થિતિમાં માનવું જ પડે કે એકલા શુદ્ધ આત્માથી આ બધી વિચિત્ર ઘટનાઓ બને નહિ; એ તે જેમ આત્માને માનીએ એમ આત્મા પરના કર્મ–બંધન પણ માનવા જ પડે. આત્માની સાચી માન્યતામાં કમની માન્યતા આવી જ જાય. રાખવી જ પડે. તે જ ખરેખર આત્મતત્ત્વ સમજપૂર્વક માન્યું ગણાય. આવી રીતે આત્માને ખાસ મહત્ત્વ અપાય ત્યારે કર્મનું મહત્વ કર્મને પ્રભાવ એની અંતર્ગત રહે જ. પછી બાહ્ય જડ પદાર્થો અને જડ સંગને એવું મહત્ત્વ ન અપાયાથી તેવી તેવી પરિસ્થિતિમાં જડ વસ્તુને દોષ ન દેતા, આત્માના કર્મને કે ભવિતવ્યતાને દોષ દેવાય. આત્માને મહત્વ આપ્યા પછી આપત્તિમાં મનને શાંતિ રખાય કે જેવા કર્મના ઉદય હોય તે જ પ્રમાણે બને. એમ જેવી ભવિતવ્યતા હોય તે પ્રમાણે જ પરિસ્થિતિ બની આવે. રાજપુત્ર કનકરથ પિતાના આગ્રહ પર દાક્ષિણ્યવશ આ જ વિચારે છે કે “જારે એમનો આ આગ્રહ જ છે, તે ભલે રાજકુમારી રુકિમણીના ગુણદોષ બીજી રીતે જાણવા નથી મળ્યા, પણ કર્મ અને ભવિતવ્યતા હશે તેમ બનવાનું છે, માટે હવે મારે ખેંચપકડ કરવાની જરૂર નથી. આગળ તે જે બનવાનું છે તે બનશે, પણ હાલ તે મારે પિતાજીની ઈરછા પ્રમાણે એને પરણવા જવાનું; પિતાજીને નારાજ નહિ કરવાના. બહારની વાતમાં મુખ્યપણે તે કર્મ જ કામ કરતા હોય છે; પુરુષાર્થ તે ગૌણપણે કામ કરનારે છે. ત્યારે પિતાજીનું દાક્ષિણ્ય જાળવવું એ આભ્યન્તર વાત છે, ને એમાં
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy