SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ પણ ભૂંડે જ ને? સંસાર અસાર, નહિ રહેવા જે કેમ? આટલા જ માટે કે એમાં વિષયવાસના આવી ઉથલપાથલ કરાવે છે માટે. પૂછતા નહિ, સંસારની અસારતા જાનો શે ઉપગ? પ્રો–સંસારની અસારતા જાણીને શું કરવાનું ? આજ ને આજ એ છેડે જ મૂકાઈ જવાનું હતું ? ઉ–ભલે, પણ સંસારને એ અસાર નગુણો જાણી સમજી રાખ્યું હોય તે એવા સંસારની ખાતર કારમાં પાપ ન થાય એવા આંધળા રાગ ચાલુ ન રખાય...તેમ સંસારના વિલાસ અને પ્રમાદ ખાતર આત્માનું તિ અને ધર્મસાધનાઓ ન ગુમાવાય. બોલે, સવારે ઊઠીને અને રાત પડ્યે પડિકામણું કોણ ચૂકવે છે? સંસારના ઘરને પ્રમાદ જ ને? અર્થકામની લાલસા ને ? અર્થ, કામ, કાયા...બધા જ સંસારન.. જે સંસારને ધડમૂળથી નગુણ હોવાનું ઓળખી લીધું હેય, તે શું મનને એમ ન થાય કે અરે શ્રાવિકાની કુક્ષીએ અવતાર પામવા છતાં, હું આ નગુણ સંસારના અર્થ, કામ અને કાયાની આ ગુલામી વહોરું ? ને ધર્મ ભૂવું ? મારા આત્માને જ ભૂલું ? તે પછી હું આસ્તિક શાને? નાસ્તિક પણ આવું જીવન તે જીવે છે. સવારે જાગ્યા ત્યારથી “ખાઉં !' તે નાસ્તિક પણ કરે છે. હું ય આત્માને બદલે કાયા-ઈદ્રિનું જ સંભાળું, છતાં હું આસ્તિક? ખાવા-પીવા આદિમાં પૂરપાટ ખર્ચા, પણ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy