SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ખરું, અને કેઈએ ગુરુની હીલના ન કરવા ઉપદેશ પણ કર્યો, તેમજ જગતને પિતાના દષ્ટાન્તથી ગુરુ-અવજ્ઞા ન કરવાનું જાહેર કરવા પણ કહ્યું; કિન્તુ પિતે ગુરુ પાસે આલેચના ન કરી એને એ ન સૂઝયું કે શિષ્યને કહું કે “મને લઈ જાઓ મહાવીર પ્રભુ પાસે, જેથી હું પાપની આલેચના કરી પ્રાયશ્ચિત માગું તે પાપનાં શલ્ય કેવા ઊંડા ઊતરેલા રહી ગયા ! કે હવે એ સંસારમાં દુર્ગતિઓમાં ભયંકર ભટકવાને છે. પાપશલ્યની આ ભંડાઈકે ભવ પાપાચરણે આપે ! જીવતા છીએ ત્યાં સુધી જ ગુરુ આગળ આના ઉદ્ધાર શક્ય. આપઘાતથી મરી ગયા પછી, અગર જીવતા રહેવા છતાં મૃત્યુ સુધી ગુરુ આગળ એને ઉદ્ધાર ન કરવામાં મરી ગયા પછી શું થાય ? “ગુરુને કહીએ તે ગુરુ આગળ હલકા પડીએ, માટે ન કહેવું તે ન જ કહેવું.” એમ કરી જરા પિતાનું માન સાચવ્યું એનો લાભ કેટલે? અને પરભવે જમના જન્મ પાપાચરણમય મળે એનું કેટલું નુકસાન? આ જે વિચારાય તે અહીં આલેચન કરતાં ભલે ને ગુરુની નજરમાં હલકાઈ થઈ, પરંતુ એ નુકસાન વધાવી લઈ પલેકનાં અતિ ભયંકર નુકસાનને રેકવાનું કરાય; તેમજ માન કષાય પર ભારે પ્રહાર કરાય. તીવ પશ્ચાત્તાપ સાથે આલોચનાની બલિહારી છે. આલેચના એ પાપનાશને પહેલે ઉપાય છે. એના પર
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy