SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર બધે શાને પ્રતાપ? શબ્દના ચમત્કારને “તું મરીશ, પણ તારા પાપ શી રીતે મરશે?? આ શબ્દોએ એને આપઘાતથી અટકાવી મહાત્મા બનાવ્યું. જીવનમાં શબ્દના ચમત્કારને સમજી, વાણી પર સંયમ મૂકવા જેવો છે. વાણીમાં કુશળતા વાપરવાને અભ્યાસ કરવા જેવો છે. ઘરે મેમાન લઈ ગયા, ઘરવાળાએ જમાડ્યા, પણ જે મક લઈ ઘરવાળાનાં સાંભળતાં મેમાનને કહે, “ભગવાનની મહેરબાની છે કે આ ઘરવાળ રતન જોવા મળ્યા છે. જાતે ભારે શ્રમ લઈને ઘરની શોભા વધારે છે.” બસ, ત્યાં એ સાંભળીને ઘરવાળા પાણી પાણી થયા જ સમજે. એટલું જ ન આવડ્યું તે જાતે દહાડે કંટાળીને માં ચડાવી કદાચ સંભળાવી દે કે બીજાની વેઠ કરવા જ અમને અહીં લાવીને બેસાડ્યા છે? કેમ જાણે રસાયણ રાખી ! તે જેને ને તેને ઉપાડી લાવવા છે, તે રાંધ એનું, તું તારે ભઠિયારું કૂટયા કર... શબ્દને વિવેક ન આવડે તો આવા કલેશ ઊભા થાય. ઉપષ્ટ હણું દશનાચારમાં શબ્દ ચમત્કાર : શાસ્ત્રકારોએ સમ્યગ્દર્શનના આચારમાં આ સમજીને જ ઉપખંહણને એક આચાર મૂકે છે. “ઉપખંહણ એટલે સામાના ગુણની પ્રશંસા, સુકૃતની પ્રશંસા, સેવાગણ–આરાધનાના પરાક્રમની પ્રશંસા કરી પ્રત્સાહન આપવું તે ઉપખંહણ કહેવાય. સમ્યગ્દર્શનના આ આચારના પાલનમાં શું છે? શબ્દને ચમત્કાર જ ને? સામા પર ચમત્કાર
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy