SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ આપણું પિતાના અને બીજાના આત્મામાં ધર્મની જાહેજલાલી કેમ કરતા રહીએ? પરમાત્માની ભક્તિ, સાધુસાધ્વીની સેવા, સમ્યગૂજ્ઞાનને પ્રચાર, તીર્થયાત્રા, ઉપધાન, ઉઘાપન, વ્રતધારીનાં સન્માન, સાધર્મિક ભક્તિ, તપસ્વીની ભક્તિ, અનુકંપાદાન વગેરેથી એમ ત્યાગ-તપસ્યાથી, વ્રત-નિયમ અને શીલસદાચારોથી તથા ધર્મના અનુષ્ઠાનેથી, અને શુભ ભાવનાઓ તથા ક્ષમા આદિ શુભ ભાવથી તન-મન-ધનને લેખે લગાડી શકાય, ધર્મની જાહોજલાલી કરી શકાય. આદ્મભટે ધર્મની જાહોજલાલી થવાનું દેવું હોય તેથી મેટા ઈનામની બધી જ રકમ દાનમાં લૂંટાવી દીધી. કહે છે ને “જીવ્યા કરતા જોયું ભલું ?” એમ, “ભેગવ્યા કરતાં દીધું ભલુંનો હિસાબ હોય ત્યાં દેતાં શે આંચકો? (૩) મહાદાનનું ત્રીજું આ પણ કારણ છે કે લક્ષ્મી ઘરે લઈ ગયેલી મમતાને પોષે, એ કરતાં દાનમાં ઊછળી દીધેલી પાછળથી વારંવાર સુકૃત-અનુમોદનાની અને નિર્મળ યશની કમાણી કરાવે ! આ હિસાબ, આ ધેરણ દાનને સ્વાભાવિક બનાવી દે છે. એ યશ એ કે ભવિષ્યના કાળમાં પણ હજારો-લાખે ને દાનની પ્રેરણા પ્રોત્સાહન આપે. અસ્તુ. આ પ્રભટ્ટે દાન તે દઈ દીધું પણ વિનિસંતેષિઓએ જઈને રાજા કુમારપાળને ભંભેરણી કરી “મહારાજા આપને ઝાંખા પાડવા માટે આગ્રંભદ્દે ઈર્ષ્યા અને અભિમાનથી આપની બધી ભેટ યાચકેમાં ઊછાળી દીધી ! આપે તે બહુ ઉદારતાથી લાખનું ઇનામ આપ્યું, પણ એના જ પર આમ્રભર
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy