SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ “હે ભાગ્યવતી ! સદાચારમાં મક્કમ એવી તારે આ ગર્ભ શાનો?” પ્રીતિમતી કહે છે, “સ્વામી ! માફ કરજે, જ્યારે આપણે તપોવનમાં નીકળ્યા ત્યારે જ હું ગર્ભવતી હતી; સંસારવાસમાં હતા એ વખતે આપણુથી જ આ ગર્ભ રહે. પરંતુ જો એ સંસારત્યાગ વેળાએ હું ગર્ભનું કહું તો મને આ તપ-સંયમનું જીવન ન મળે. તપસંયમના એ અંતરાયના ભયથી મેં એ વખતે કહેલું નહિ.” મેટી રાજરાણું અને સંસારત્યાગ માટે એના પર કઈ જ દબાણ નહિ કે ઉપદેશ પણ નહિ, છતાં એની સંસાર છોડી તપોવનમાં તપ તપવા માટેની કેટલી બધી તમન્ના કે એ ન છેડવો હોય તો ગર્ભનું સાચું બહાનું હાજર છે, છતાં એ નિમિત્તે પણ સંસારમાં રહેવાની વાત નથી ! તપ-સંયમની સાધનાને ગુમાવવાની વાત નથી ! માનવજીવનના ઊંચા ઉદેશ સમજાય છે? જીવન કઈ ઊંચી સાધના માટે? શું ખાનપાન માટે છે? શું પિસા કમાવવા માટે? શું વેપાર માટે છે? શું પરિવારમાં મોહઘેલા બન્યા રહેવા માટે છે? શું બીજા પર રફ બજાવવા ને રષ કરવા સારુ છે? એ બધું કરીને અંતે આત્માને શું સારું સિદ્ધ થવાનું ? મરણ સમયે સમાધિ સિદ્ધ થવાની? જીવતાં જે એ ખાનપાન–વેપાર– પિસાપરિવાર આદિ સમાધિ યાને ચિત્તની સ્વસ્થતા-શાંતતા નથી દેખાડતા, એ મરણ સમયે શી રીતે સ્વસ્થતા-શાંતતા દેખાડશે?
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy