SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ શુકલધ્યાનને પરિચય ૪ર૯ થાન પ્રાપ્ત થયું ગણાય છે. આ વખતે શ્વાસોશ્વાસ જેવી સૂક્ષ્મ કિયા જ બાકી રહેલી હોય છે અને તેમાંથી પાછા પડવાનું હતું નથી, એટલે તે સૂમકિયા–અપ્રતિપાતી કહેવાય છે. કેવલી કે સર્વજ્ઞ ભગવતે નિર્વાણ સમયે દેહોત્સર્ગની કિયા કેવી રીતે કરે છે? તે આ પરથી સમજી શકાશે. હવે શુક્લસ્થાનના ચોથા અને છેલ્લા પ્રકાર પર આવીએ. તેનું નામ છે-બુપરતકિયા-અનિવૃત્તિ શુકલધ્યાન. જ્યારે શરીરની ધાસવાસાદિ સૂકમ ક્રિયા પણ બંધ થઈ જાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્કપ થઈ જાય છે, એટલે કે શેલેશી અવસ્થાને પામે છે, ત્યારે આ સ્થાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં સ્કૂલ કે સક્ષમ કેઈ પણ પ્રકારની માનસિક, વાચિક કે કાયિક કિયા રહેતી નથી, એટલે કે તે વ્યુપરત થઈ જાય છે, તદ્દન બંધ થઈ જાય છે અને એ રિથતિમાં કંઈ પરિવર્તન થતું નથી, એટલે કે તે અનિવૃત હોય છે, તેથી તેને વ્યુપરત કિયા-અનિવૃત્તિ શુકલધ્યાન કહેવામાં આવે છે. આ ધાનને કાલ મ, રૂ, ૩, , સ્ત્ર એ પાંચ હ્રસ્વ. અક્ષર બોલીએ એટલે જ હોય છે. આ ધ્યાનના પ્રતાપથી શેષ સર્વ કર્મો એટલે બાકી રહેલા ચાર અધાતીકર્મો–વેદનીય, આયુષ્ય, નામ અને ત્ર-ક્ષીણ થઈ જતાં આત્મા સર્વ કર્મબંધનમાંથી મુક્ત થાય છે અને તે પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી સમય માત્રમાં લેકના અગ્રભાગે પહોંચી ત્યાં આવેલી સિદ્ધશિલાને મથાળે સ્થિર થાય છે કે જ્યાં સિદ્ધોને ,
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy