SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩પ૦ સામાયિક-વિજ્ઞાન મને એકાએક સાર થયેલો જોઈને બધા આનંદ પામ્યા. પિતાજી એમ સમજ્યા કે મારે ખલે પિસે લેખે લાગે. માતા એમ સમજી કે મારી માન્યતાઓ ફળી. ભાઈએ એમ સમજ્યા કે અમારી સેવા ફળી. બહેને એમ સમજી કે અમારી આશિષ ફળી. પત્ની એમ સમજી કે મારી ચાકરી લેખે લાગી. મિત્રો એમ સમજ્યા કે અમે જે દોડધામ કરી તેનું આ શુભ પરિણામ આવ્યું અને સહુ પિતપોતાની વાતનું સમર્થન કરવા લાગ્યા, ત્યારે બધાને મેં શાંત પાડીને કહ્યું કે “મને નવું જીવન પ્રાપ્ત થયું છે, તે મારા શુભ સંકલ્પનું ફલ છે. રાત્રે હું એ સંકલ્પ કરીને સૂઈ ગયું હતું કે જે આ દુઃખ-દર્દમાંથી મુક્ત થઈશ તે શાંત, દાંત અને નિરારંભી થઈશ. માટે હવે મને આપ બધા આજ્ઞા આપે, કારણ કે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન મરે સત્વરે કરવું જોઈએ.” આ શબ્દો સાંભળતાં જ સહુને હર્ષ ઉડી ગયે અને તેમની આંખો અશ્રુભીની બની ગઈ. તેમણે મને આમ ન કરવા ઘણું સમજાવ્યું, પણ મેં એ મને સ્વાનુભૂત અશરણુતાને ખ્યાલ આપે, તેમ મારે મારી પ્રતિજ્ઞાનું પાલન કેઈ પણ હિસાબે કરવું હતું, એટલે સર્વ કુટુંબીજનેએ મને રજા - આપી અને હું આત્મકલ્યાણને સાધવા અણગાર—ધર્મમાં પ્રવજિત થયે. જે અણગાર બને છે, શ્રમણ બને છે, તે અન્ય ઇવેને નાથ (રક્ષક) બને છે અને તે પોતાને પણ નાથ
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy