SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ માયા અને લેભને હઠાવ विधाय मायां विविधैरुपायैः, परस्य ये वञ्चनमाचरन्ति । ते वञ्चयन्ति त्रिदिवापवर्गमुखान्महामोहसखा स्वमेव ॥ જે મનુષ્ય માયાનું સેવન કરીને વિવિધ પ્રકારના ઉપાયે વડે બીજાની સાથે ઠગાઈ કરે છે, તે મહામહના મિત્ર સરખા મનુષ્ય પોતાની જાતે જ સ્વર્ગના સુખેથી ઠગાય છે, એટલે કે તેમને સ્વર્ગનું સુખ મળતું નથી.” અથવા कौटिल्य पटवः पापा, मायया बकवृत्तयः। भुवनं वश्चयमाना, वश्चयन्ते स्वमेव हि ।। અનેક પ્રકારનાં કૂટ-કપટ કરવામાં કાબેલ અને બગલાના જેવી દંભી મનવૃત્તિ રાખનાર પાપી પુરુષે માયા વડે જગતને છેતરવા જતાં પોતે જ છેતરાય છે.” પાઠક મિત્રોને કદાચ એમ લાગશે કે શું આ સાચું હશે ? તે અહીં તેની પ્રતીતિ કરાવનારી એક સત્ય ઘટના રજૂ કરીએ છીએ. બે માણસે પ્રવાસ કરતા હતા. રાત્રિ પડી જવાથી તેમણે નજીકના ગામમાં એક પટેલને ત્યાં આશ્રય માગે. અને તે એમને મળી ગયું. હવે તેમની પાસે વાટખરચી માટે રૂપિયા બસે રેકડા હતા, તે પાસે રાખવાનું ઠીક ન લાગવાથી પટેલને સંખ્યા અને સવારે જતી વખતે પાછા
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy