SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ સામાયિક-વિજ્ઞાન ડોશીમાએ કહ્યું : “બેટી ! તેં જે ચમત્કાર અનુભવ્ય તે આ પાણુને નથી, પણ તેં એને પ્રયોગથી સામે જવાબ આપવાનું માંડી વાળ્યું, તેને છે. હવે જ્યારે જરૂર પડે ત્યારે તું તારા ઘરના પાણીથી પણ આ પ્રવેગ કરી શકે છે. તું જે શાંત રહીશ તે તારે પતિ શાંત રહેશે અને બંને સુખી થશે. મારા તમને આશીર્વાદ છે.” ત્યાર પછી તે પતિ-પત્નીએ કદી પણ કોઈ ન કરવાને નિર્ણય કર્યો, તેથી તેઓ સુખી થયા અને આનંદમાં દિવસે નિર્ગમન કરવા લાગ્યાં. આ વાતમાંથી આપણે એટલે બોધ લેવાનો છે કે કેઈ આપણા પર કોધ કરે તે આપણે સામે કોધ કરે નહિઃ “કમ ખા, ગમ ખા.” એ કહેવતમાં પણ આ જ શિખામણ અપાયેલી છે. કોધને જીતવાનું મુખ્ય સાધન ક્ષમા છે, તેથી જ કહેવાયું છે કે क्षमाखड्गः करे यस्य, दुर्जनः किं करिष्यति । अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति । જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે, તેને દુર્જન શું કરશે? ઘાસ વગરની જમીન પર પડેલે અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય છે.” તાત્પર્ય કે કોઈ દુર્જન મનુષ્ય આપણા પર ક્રોધ કરે અને આપણે તેને ક્રોધથી પ્રતિકાર કરીએ તે મામલે ઘડી વારમાં બગડી જાય છે, પરંતુ કોઇ ન કરીએ તે પેલે દુર્જન શાંત થઈ જાય છે. અગ્નિને તણખો ઘાસના ગંજ પર
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy