SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ સામાયિક-વિજ્ઞાન વગાડવા માંડે છે કે તે પાતાનુ ઘર છેડીને બહાર નીકળે છે અને ફેણ માંડીને ડોલવા લાગે છે. આ વખતે ખીજા મદારીએ તેને પકડી લે છે, અને તેના ઝેરી દાંત કાઢી નાખે છે. પછી તેમને કરડિયામાં પૂરી કાયમના પરાધીન બનાવી દે છે. શબ્દ-લાલસાની આ ખતરનાકતાના ખ્યાલ સુજ્ઞજનોએ અવશ્ય રાખવાના છે. ઇન્દ્રિયા વડે ભાગવાતું વિષયસુખ એ સાચું સુખ નથી, માત્ર સુખનો આભાસ છે, છતાં મનુષ્યે તેની પાછળ પડી પેાતાનું સમસ્ત જીવન બરબાદ કરે છે અને મહામે ઘે માનવભવ હારી જાય છે, એ કેટલુ ખેદજનક છે? તે અ ંગે ભગવાન મહાવીરની વાણી સાંભળે. તે ઉત્તરાધ્યયન–સૂત્રમાંથી અહી અપાય છે: जे के सरीरे सत्ता, वण्णे रूवे य सव्वसो । माणसा काय - वकेणं सव्वे ते दुक्खसंभवा ॥ · જે કોઇ મનુષ્યેા શરીરમાં આસક્ત છે અને મનથી, કાયાથી તથા વચનથી રૂપ અને રંગમાં પૂરેપૂરા મેહેલા છે. તે સવ દુઃખને ઉત્પન્ન કરનારા છે. ’ उवलेवो होइ भोगे, अभोगी नोवलिप्पई । भोगी भई संसारे, अभोगी विष्पमुच्चई || • ભાગમાં પડેલા મનુષ્ય કમ થી લેપાય છે, અભાગી કમથી લેપાતા નથી. ભેગી સંસારમાં પરિભ્રમણ કરે છે. અભાગી સંસારથી મુક્ત થાય છે. '
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy