SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ સામાયિક-વિજ્ઞાન. પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે, એટલે તેની કેઈ અસર મન પર થવા દેવી નહિ, એ ડહાપણ ભરેલી નીતિ છે. અનુકૂલ, મનેણ કે ઈષ્ટ વિષય મળે તો તેમાં લુબ્ધ થવું નહિ અને પ્રતિકૂલ, અમને કે અનિષ્ટ વિષય મળે તો તેથી ખિન્ન થવું નહિ, એ સમભાવને સાર છે. આટલા વિવેચન પરથી સમભાવનું સ્વરૂપ સમજાયું હશે. સમભાવ તે કેળવ્યા કેળવાય છે, તેથી જ આપણા મહાપુરુષોએ કહ્યું છે કે “સમભાવ કેળવતા રહે. જે સમભાવ કેળવતા રહેશે. તે સામાયિકની સિદ્ધિ કરી અનિર્વચનીય સુખના અધિકારી બની શકશે.” પ્રશ્નોત્તરી પ્રશ્ન–અષ્ટાંગયેગને સાર સમભાવ કેવી રીતે ? ઉત્તર–અષ્ટાંગયેગનું છેવટનું ધ્યેય સમાધિ એટલે ચિત્તની સમાહિત અવસ્થા છે, જે ચિત્તશુદ્ધિ કે સમભાવનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, તેથી અષ્ટાંગયેગને સાર સમભાવ માનવામાં આવ્યો છે. પ્રશ્ન-જૈન ધર્મ અષ્ટાંગયોગને માને છે શું ? ઉત્તર-જૈન ધર્મની પ્રાચીન પ્રણાલિકા તે પંચાગગની છે, પણ અષ્ટાંગયેગનું સ્વરૂપ વિશેષ પ્રચલિત થતાં જૈનાચાર્યોએ તેને અપનાવી લીધું છે. શ્રીહરિભદ્રસૂરિએ યેગની આઠ દષ્ટિમાં ઉક્ત એગનાં આઠેય અંગેને ઘટાવ્યા
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy